જનતા કર્ફ્યૂ દરમિયાન પ્રર્શનકારીઓએ પ્રતિકાત્મક ધરણા કર્યા છે. પ્રદર્શનકારી મહિલાઓએ ધરણા સ્થળ પર હાજરી બતાવવા માટે પોતાના જૂત્તા - ચંપલ મુકી દીધા હતા. તેઓએ આ સ્થળે ફરી પાછા ભેગા નહીં થવાનો નિર્ણય લીધો છે. જોકે તેઓ પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.
દુનિયા ભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. બીજી તરફ શાહીનબાગની મહિલાઓ પણ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે. મહિલાઓ પ્રદર્શન સ્થળથી હટી ગઈ હતી. એટલું જ નહી તેમણે આ સ્થળે ફરી પાછા ભેગા નહીં થવાનો નિર્ણય લીધો છે. જોકે આનાથી શાહીનબાગને CAA, NPR અને NRCનો વિરોધ પ્રદર્શન અટકશે નહીં. તેઓ અનોખી રીતે પ્રદર્શન ચાલુ રાખશે.
પ્રદર્શનકારી બોલ્યા વાયરસથી પણ લડીશું અને ધરણા પણ કરીશું
શાહીનબાગની પ્રદર્શન કારી મહિલાઓએ પ્રદર્શન સ્થળ પર ભેગા નહી થવાનો નિર્ણય લીધો છે પણ તેમણે પ્રદર્શન ચાલુ રાખ્યું છે. તેમણે પ્રદર્શન ચાલુ રાખવા માટે પ્રદર્શન સ્થળે તેમના જૂતા અને ચંપલ મુક્યા છે. ઉલ્લેખનીય છે કે શાહીનબાગની મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.