કોરોના વાયરસનો કહેર દેશભરમાં યથાવત જોવા મળી રહ્યો છે.જેને લઈને દેશભરમાં 21 દિવસનો લાકડાઉન કરવામાં આવ્યું છે. જો કે કોરોનાના કહેર વચ્ચે નર્મદા જિલ્લાના આદિવાસી ગામોમાં યુવાનો પોતે ગામનાં સ્વયં સેવકો બન્યાં છે. જેમાં યુવાનો જાતે પોતાના ગામમાં પહેરો ભરી રહ્યાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત
કોરોના મહામારીને લઇને દેશભરમાં લોકડાઉન
નર્મદા જિલ્લામાં આદિવાસી ગામોમાં લોકો બન્યા સતર્ક
હાલમાં કોરોના વાયરસને લઇને ભારતભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે હવે શહેરો નહીં પરંતુ જિલ્લાના ગામડાઓમાં લોકોનીમ લોકડાઉનની સ્થિતિની કેવી અસર જોવા મળી રહી છે તે યોગ્ય છે. જો કે લોકો ઘરની બહાર ન નીકળે તે માટે શહેરમાં પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યાં છે. તેમ છતાં શહેરના લોકો ગેરશિસ્ત બની ઘરની બહાર નીકળી લટાર મારતાં જોવા મળી રહ્યાં છે.
ત્યારે નર્મદાના અંરિયાળ ગામડાના આદિવાસી યુવાનો જોડીથી તમામ દેશવાસીઓએ બોધપાઠ લેવા જેવો છે. નર્મદાના દેડિયાપાડાના બોગજ ગામના ગ્રામજન લોકો પોતાના ગામનો પહેરો ભરે છે. કોરોના વાયરસના કહેર વચ્ચે નર્મદાના આદિવાસી ગામોમાં યુવાનો ગામના સ્વયં સેવકો બન્યા છે.
લાકડીઓ લઇને ગામમાં પહેરો ભરી યુવાનો કોઇને અંદર આવવા દેતા નથી. કોઇપણ ન આવે તેની તકેદારી રાખી રહ્યાં છે. લોકડાઉનના પગલે રોજગાર-ધંધા બંધ હોવાથી યુવાનો ગામની સુરક્ષા કરી રહ્યાં છે.