ગુજરાતમાં કોરોનાને લઇને કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના લોકોને લોકડાઉનનો અમલ કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જો કે રાજ્યમાં વધતા કોરોના સંકટ વચ્ચે નર્મદા જિલ્લામાંથી રાહત સમાચાર આવ્યાં છે. જિલ્લામાં છેલ્લા 12 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
નર્મદામાં છેલ્લા 12 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નહીં
નર્મદા જિલ્લામાં નોંધાયા હતા 12 પોઝિટિવ કેસ
આજે 12મા દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા
ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે નર્મદા જિલ્લામાંથી રાહતના સમાચાર આવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 12 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. આમ જિલ્લામાં કોરોનાને લઇને તંત્રએ પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે.
આ અગાઉ નર્મદા જિલ્લામાં 12 પોઝિટિવ કેસ હતા. જેમાંથી તમામ દર્દીઓ રિકવરી થઈ ગયા છે. આજે 12માં દર્દીને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. નર્મદામાં તમામ દર્દીઓ સાજા થઈ જતાં હવે નર્મદા માટે રાહતના સમાચાર છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર નર્મદા જિલ્લામાં 12 પોઝિટિવ કેસ હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી તબક્કાવાર ધીરે-ધીરે કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ ગયેલા જોવા મળ્યા છે. આ તમામ દર્દીઓ રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ તમામનો રિપોર્ટ નેગેટિવ આતા તેમને રજા આપવામાં આવીહતી.
આજે છેલ્લા જે ભદામ ગામના મહિલાને કોરોના ટેસ્ટ નેગેટિવ આતાં તેમને રજા આપવામાં આવી રહી હતી. જો કે ટેસ્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી ત્યારે તેઓને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.
નર્મદા જિલ્લો મહારાષ્ટ બોર્ડર પર આવેલ જિલ્લો છે. હાલ કોરોના વાયરસ પોઝિટિવ કેસ મહારાષ્ટમાં વધુ છે ત્યારે આ કોરોના પોઝિટિવ લોકો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે નર્મદા પોલીસ સતત કાળજી રાખી રહી છે.
આમ રાજ્યમાં ગ્રીન ઝોન જાહેર કરાયેલાં જુનાગઢ જિલ્લામાં આજ રોજ બે કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેમાં જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના બે આરોગ્ય કર્મીને કોરોના પોઝિટિવ નોંધાતા જ્યાં કોરોનાને એકપણ કેસ નહોતો તેવા જિલ્લામાં એન્ટ્રી જોવા મળી હતી.