ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના જે જિલ્લામાંથી અત્યાર સુધી કોરોના પોઝિટિવને લઇને રાહતના સમાચાર આવી રહ્યાં હતા તે જિલ્લામાંથી પણ પોઝિટિવ કેસો સામે આવી રહતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેમાં નર્મદા જિલ્લામાં આજે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ સામે આતાં કુલ 9 પર આંકડો પહોંચ્યો છે.
નર્મદા જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ
નર્મદા જિલ્લામાં કુલ 9 પોઝિટિવ કેસ થયા
રાજપીપળાના રાજપૂત ફળિયાને કરાયું સીલ
કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. નર્મદા જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નર્મદા જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9 થઇ છે.
નર્મદા જિલ્લાની વાત કરીએ તો ગરુડેશ્વરમાં 1, ડેડિયાપાડામાં 3, નાંદોદમાં 4 અને સાગબારામાં 1 કેસ નોંધાયો છે. કોરોના વાયરસના કારણે રાજપીપળાના રાજપૂત ફળિયાને સીલ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લોમાંથી ગઇકાલ સુધી કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં નહોતાં, ત્યારે ગઇકાલ થી અત્યાર સુધીમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર એકશનમાં આવી ગયું છે.
નર્મદા જિલ્લામાં ગઇકાલે બે કેસ પોઝિટિવ આવ્યાં હતા. જેમાં ગરૂડેશ્વર અને ડેડિયાપાડામાંથી પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેમાં ગરૂડેશ્વરના 26 વર્ષના યુવકનો અને ડેડિયાપાડામાંથી 60 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.