કોરોના વાયરસના કહેરના પગલે જ્યાં એકબાજુ જનતા લોકડાઉન હોવા છતાં બહાર નીકળતા તંત્ર તેમજ પોલીસ દ્વારા વારંવાર અપીલ કરી ઘરમાં રહેવા જણાવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા તંત્રના કેટલાક વિભાગના અધિકારીઓને પોતાનું સ્થાન છોડવાની મનાઇ ફરમાવામાં આવી હોવા છતાં ગેરહાજર રહેતા કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં નર્મદા જિલ્લા ખાતે તિલકવાડા મામલતદારને હેડક્વાર્ટર છોડી ગેરહાજર રહેતા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
તિલકવાડા મામલતદાર ને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી
25 માર્ચ ના રોજ મામલતદાર ગેરહાજર રેહતા નોટિસ ફટકારવામાં આવી
કલેકટર ની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો હતો
પ્રાપ્ત મળતી વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા મામલતદારને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે કોરોના વાયરસ વધારે પ્રસાર ન થાય તે માટે જરૂરી કામગીરી માટે જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પૂર્વમંજૂરી વગર હેડક્વાર્ટર છોડવું નહીં તે બાબતે નોટિસ ફટાકારવામાં આવી છે.
જો કે તેમ છતાં ગત 25મીએ કલેકટરશ્રીની પૂર્વમંજૂરી સિવાય ગેરહાજર રહેતા ફરજ પ્રત્યેની બેદરકારી સામે આવી જે ગંભીર બાબત છે. જેને લઇને ગેરહાજરીના બદલે નોટિસ ફટકારવામાં આવી છે.
આમ નર્મદા જિલ્લા ખાતે કોરોના વાયરસના પગલે 25મી એ ગેરહાજર રહેલા તિલકવાડા મામલતદારને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જો કે હાલની પરિસ્થિતિ જોતા કોઇપણ અધિકારીએ કલેકટરની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો હતો.