મુંબઈમાં બુધવારે 532 નવા કેસ નોંધાયા આ જુલાઈ બાદ નવા મામલામાં સૌથી મોટો વધારો છે.
મુંબઈમાં બુધવારે 532 નવા કેસ નોંધાયા
15 જુલાઈએ કોરોનાના 528 નવા દર્દી મળ્યા હતા
પોઝિટિવિટી રેટ હવે 0.9થી 1.1 ટકા પર પહોંચી ગયો છે
મુંબઈમાં બુધવારે 532 નવા કેસ નોંધાયા
કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વધતી જઈ રહી છે. મુંબઈમાં બુધવારે 532 નવા કેસ નોંધાયા છે. જુલાઈ બાદ નવા મામલામાં આ સૌથી મોટો વધારો છે. આની પહેલા 15 જુલાઈએ કોરોનાના 528 નવા દર્દી મળ્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં બુધવારે કોરોના વાયરસના 4,174 નવા મામલા સામે આવ્યા છે . 65 લોકોના મોત થયા છે. જેનાથી સંક્રમિતોની સંખ્યા વધીને 64, 97, 872 થઈ ગઈ અને મૃતકોની સંખ્યા 137962 થઈ ગઈ.
પોઝિટિવિટી રેટ હવે 0.9થી 1.1 ટકા પર પહોંચી ગયો છે
મુંબઈમાં ન ફક્ત 2 મહિના બાદ નવા કેસ વધ્યા છે બલ્કે પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે. પોઝિટિવિટી રેટ હવે 0.9થી 1.1 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે આ રેટ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા બાદ 0.5-0.7 ટકાની વચ્ચે હતો. મુંબઈમાં હવે ગત 7 દિવસના સરેરાશ કેસ 434 થઈ ગયો છે. જ્યારે 18 ઓગસ્ટે આ આંકડા ફક્ત 253 હતો. આ આંકડો ત્રીજી લહેર તરફ ઈશારો કરે છે.
કેસ વધવાના શું છે કારણ
મુંબઈમાં ગત બે મહિના દરમિયાન જ લોકલ ટ્રેનોને પણ ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અહીં કેટલીક સ્કૂલો પણ ખોલી દેવામાં આવી છે. અધિકારીઓએ કોઈ પણ પ્રતિબંધોને તાત્ત્કાલીક ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે તે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ લોકોને ભીડથી બચવા કહ્યું છે. ખાસ કરીને ગણેશ ચતર્થી પર.
શું ઓછા થઈ રહ્યા છે ટેસ્ટ?
સ્વાસ્થ્ય વિભાગ ઉપરાંત મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે બુધવારે રાજ્ય મંત્રી મંડળની સામે કોરોનાની સ્થિતિ પર એક પ્રેજન્ટેશન આપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું રોજના કેસમાં વધારો નથી પણ ટેસ્ટમાં ઘટાડો આવ્યો છે. પહેલા રાજ્ય એક દિવસમાં 2 મિલિયનથી વધારે ટેસ્ટ કરતુ હતું. જેને ઘટાડીને આ 1.7 મિલિયન કરી દીધો છે. જેને મતલબ એ પણ છે કે એક્ટિવ મામલા આપણે જોઈ રહ્યા છીએ તેનાથી વધારે છે.
રસીકરણ પર ભાર
મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે અંગ્રેજી અખબારને જણાવ્યું કે રાજ્યની સ્વાસ્થ્ય મશીનરી કોવિડની વિરુદ્ધ અમારા રસીકરણ અભિયાનને સફળ બનાવશે અને રેકોર્ડ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. 4 સપ્ટેમ્બરે અમે 1,227,224 ડોઝ આપ્યા અને 21 ઓગસ્ટે 1,104,465 રસીના ડોઝ આપ્યા હતા.