અત્યારે જ્યાં સમગ્ર દુનિયા કોરોનાના કહેર સામે લડી રહી છે ત્યારે લોકોને કઈ રીતે ઘરમાં રાખવા અને તેમનું મનોરંજન કરવું તે અંગે સતત મનોરંજન ઉદ્યોગ વિચારી રહ્યું છે. ત્યારે શું તમે જાણો છો કે, આપણાં દેશને 90ના દાયકામાં જ પહેલો સુપરહીરો મળી ગયો હતો. એક એવો સુપરહીરો જેને જોવા માટે દેશનો તમામ બાળકો આતુરતાથી રાહ જોતા હતા. અમે વાત કરી રહ્યાં છે 'શક્તિમાન' શોના મુકેશ ખન્નાની, જેણે પોતાની શક્તિઓથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને પોતાની શીખથી લોકોને અગત્યના સંદેશ પણ આપ્યા હતા. તો અત્યારે જ્યારે દેશ કોરોનાને કારણે ઘરમાં કેદ છે ત્યારે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ફરી પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું છે. સાથે જ શાહરૂખ ખાનનું સર્કસ અને બ્યોમકેશ બખ્શી પણ ફરી પ્રસારિત કરવામાં આવ્યું છે.
કોરોનાના કહેરથી સમગ્ર દેશ મુશ્કેલીમાં
બાળકો સમય પસાર કરવામાં થઈ રહી છે મુશ્કેલી
ત્યારે બાળકોના મનોરંજન માટે દૂરદર્શન આ શો ફરી પ્રસારિત કરશે
130 crore Indians will together get the opportunity to watch Shaktiman on DD once again. Wait for the announcement. pic.twitter.com/MfhtvUZf5y
લોકોએ લોકડાઉનના સમયમાં માંગ કરી છે કે શક્તિમાન ફરી પ્રસારિત થવું જોઈએ. એવામાં શક્તિમાન મુકેશ ખન્નાએ પોતે ટૂંક સમયમાં શક્તિમાનની સીક્વલ આવવાની જાહેરાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, છેલ્લા ત્રણ વર્ષથી અમે શક્તિમાનના બીજા એડિશન પર કામ કરી રહ્યાં છે. અમે આ શોનું સીક્વલ એટલે બનાવી રહ્યાં છે કે લોકો જાણવા માંગે છે કે, આખરે આગળ શું થયું. મને લાગે છે કે, જેમ-જેમ પરિસ્થિતિઓ બદલાશે અમે આ શો લઈને આવીશું. શક્તિમાનની ઘણી ડિમાન્ડ છે.
મુકેશ ખન્નાએ એક વીડિયો દ્વારા રામાયણ-મહાભારત ફરી પ્રસારિત થવાને લઈને ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લોકોને હવે એકસાથે રામાયણ અને મહાભારત જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, મહાભારતમાં પણ મુકેશ ખન્નાનો મહત્વનો રોલ હતો. શોમાં તે ભીષ્મ પિતામહ બન્યા હતા. તેમની નેચરલ એક્ટિંગ જોઈને બધાં જ તેમના દીવાના થઈ ગયા હતા. ત્યાર બાદ તેઓ શક્તિમાન શો દ્વારા ટેલિવિઝન જગતમાં છવાઈ ગયા.