દિવાળી બાદ ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે જ કોરોનાએ પણ માથું ઉંચક્યું છે. મધ્યપ્રદેશમાં દિવાળી બાદ શુક્રવારે કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. 1 જ દિવસમાં 1500થી વધુ કેસ આવતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન નહીં લગાવાય પરંતુ 5 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું
1 દિવસમાં આવ્યા 1500થી વધુ નવા કોરોના કેસ
5 શહેરોમાં લાગૂ થયો નાઈટ કર્ફ્યૂ
નવેમ્બર મહિનામાં કોરોનાનો સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. અહીં કુલ 1528 નવા કોરોના કેસ એક જ દિવસમાં આવ્યા છે. 24 કલાકમાં કોરોનાથી 9 લોકોના મોત પણ થયા છે. અહીં મૃતકોનો આંક વધીને 3138 થયો છે.
2. इन शहरों में नाईट कर्फ्यू के दौरान मालवाहक वाहनों का आवागमन जारी रहेगा। फैक्टरी में काम करने वाले श्रमिक भी आ-जा सकेंगे। इन पर किसी प्रकार की रोक नहीं रहेगी।1/2@BJP4MP@mohdept@DGP_MP
કોરોનાના વધતા ખતરાને જોતાં મધ્યપ્રદેશની સરકારે શુક્રવારે મોટો નિર્ણય લીધો છે. રાજધાની ભોપાલ સહિત 5 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી શનિવારથી નવા આદેશ સુધી તમામ જગ્યાઓએ રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ કાયમ રહેશે.
भोपाल,इंदौर, ग्वालियर, रतलाम और विदिशा में कोरोना संक्रमण के मामले तेजी से बढ़ने पर शनिवार,21 नवंबर से नाईट कर्फ्यू रहेगा। कर्फ्यू रात 10 बजे से सुबह 6 बजे तक रहेगा। यह तक जारी रहेगा जब तक संक्रमण के मामले कम नहीं हो जाते। 1/1
તેઓએ કહ્યું કે નાઈટ કર્ફ્યૂમાં માલવાહક વાહનો, ફેક્ટ્રીમાં કામ કરનારા શ્રમિકો આવન જાવન કતરી શકશે. કોઈ પણ પ્રકારની રોક આ લોકો પર લાગશે નહીં.
મધ્યપ્રદેશમાં કોરોનાના કુલ 1,89,546 કેસ છે. કોરોનાની વધારે અસર ઈન્દોર અને ભોપાલમાં જોવા મળી રહી છે. ઈન્દોરમાં 313 નવા કેસ આવ્યા છે અને ભોપાલમાં 378 કેસ આવતાં આ નિર્ણય લેવાયો છે.