ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીએ ભરડો લીધો છે. રાજ્યના તમામ મહાનગરોમાં કોરોના વાયરસ સંક્રમણના દર્દીઓમાં દરરોજ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો પગપેસારો વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારવામાં આવ્યાં છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય
સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારવામાં આવ્યા
કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય
રાજ્યમાં વધતા કોરોના પોઝિટિવ કેસને લઇનં તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ શહરમાં આવેલી સિવિલ હોસ્પિટલે કોરોના સંક્રમણ વધતા કહેર વચ્ચે 150 બેડ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ સૌરાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત મળતી માહિતી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો થતાં રાજકોટ સિવિલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારવામાં આવ્યા છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 250 બેડની ક્ષમતા હતી. જે વધારીને 400 બેડની કરી દેવાઇ છે.