ઘરોમાં અથવા બંધ રુમમાં માસ્ક વગર બોલવાથી તથા વાતચીત કરવાથી કોરોનાના સંક્રમણનો સૌથી વધારે ખતરો રહે છે.
અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયાબિટીસનો મોટો સ્ટડી
સ્ટડીમાં કરાયો મોટો દાવો, ઘરમાં વાતચીત વખતે માસ્ક પહેરવું જરુરી
હવાના માધ્યમ દ્વારા વાયરસયુક્ત ટીંપા ઘણા દૂર સુધી જઈ શકે છે
ઘરમાં માસ્ક વગર બોલવું ભારે પડી શકે છે-કોરોનાના સંક્રમણનો ખતરો
અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસિઝના એડ્રિયાન બેક્સે જણાવ્યું કે આપણે બધાએ જોયું છે કે જ્યારે લોકો વાતો કરતા હોય છે ત્યારે થૂંકના હજારો ટીંપા ઉડતા હોય છે પરંતુ બીજા પણ એવા અસંખ્ય એવા પણ ટીંપા હોય છે તેને જોઈ શકાતા નથી. સ્ટડીના લેખક બેક્સે જણાવ્યું કે બોલતી વખતે નીકળનાર આ વાયરસયુક્ત ટીંપા જ્યારે પાણીમાં વરાળ બનીને નીકળે છે ત્યારે તે ધુમાડાની જેમ ઘણી મિનિટો સુધી હવામાં તરતા રહે છે જેને કારણે બીજામાં સંક્રમણનો ખતરો પેદા થાય છે.
હવાના માધ્યમ દ્વારા વાયરસયુક્ત ટીંપા ઘણા દૂર સુધી જઈ શકે છે.
તેમણે કહ્યું કે ઘરોમાં ખાવાપીવાનું કામ ચાલતું રહેતું હોય છે અને મોટેથી વાતો થવી પણ સામાન્ય ઘટના છે. તેથી તે વાત જાણીને ચોંકવું ન જોઈએ કે રેસ્ટોરન્ટ અને હોટલ સંક્રમણનું કેન્દ્ર બન્યાં હતા. સંશોધકોનું કહેવું છે કે હવાના માધ્યમ દ્વારા વાયરસયુક્ત ટીંપા ઘણા દૂર સુધી જઈ શકે છે.
ઘરમાં વાતચીત વખતે માસ્ક પહેરી રાખવું હિતાવક
સ્ટડી કરનાર સંશોધકોએ જણાવ્યું કે એરોસેલ્સ (હવામાં કણો) બંધિયાર વાતાવરણમાં એકત્ર થઈ શકે છે અને શ્વાસોચ્છાસની ગંભીર બીમારીના જોખમમાં વધારો કરે છે.
તેથી લોકોએ બને ત્યાં સુધી વાતચીત કરતી વખતે હમેંશા માસ્ક પહેરી રાખવું જોઈએ. ત્રીજી લહેરની આશંકાની વચ્ચે એક્સપર્ટ્સનો દાવો છે કે જો માતાપિતાએ કોરોના વેક્સિન લીધી હશે તો બાળકોને કોરોનાનું જોખમ નહીં રહે.ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે જોખમ હશે તેના કોઈ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જો માતાપિતાએ વેક્સિન લીધી હશે તો વાયરસ બાળકો સુધી નહીં પહોંચે.