મોદી સરકારે કોરોના અંગે 11 સમિતિઓની રચના કરી છે. આ સમિતિની જવાબદારી કોરોનાને કારણે થતી કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારની સલાહની સ્થિતિમાં આ ટીમ કેબિનેટ સચિવનો સંપર્ક કરી શકશે. કેન્દ્ર સરકારે કોરોનાના પગલે આ વિશેષ ટીમની રચના કરી છે.
કોરોનાને પગલે વિશેષ ટીમની રચના
યોજના બનાવવા અપાઇ જવાબદારી
અલગ અલગ 11 વિશેષ અધિકારો અપાયા
Central Govt today set up 11 empowered groups for ensuring a comprehensive & integrated response to #COVID19. These groups have been set up under Disaster Management Act. Each group has senior representative from PMO & Cabinet Secretariat to ensure seamless coordination: Sources
દેશમાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે મોદી સરકારે એક ખાસ પગલું લીધું છે. જેમાં 11 ટીમ વિશેષ અધિકારો સાથે કામ કરશે અને હેતુ કોરોનાને નાથવાનો રહેશે. ગૃહમંત્રાલયે રવિવારે એક ટીમ બનાવી. આ ટીમમાં મોદી સરકારના સીનિયર ઓફિસરોને સામેલ કરાયા છે. પહેલી કમિટી મેડિકલ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્લાન માટે બનાવાઈ છે. તેના અધ્યક્ષ નીતિ આયોગના સભ્ય ડૉ. વી. પોલ છે.
અન્ય ટીમ બનાવાઈ જે કરશે આ મેડિકલ સંબંધિત કામ
અન્ય કમિટી હોસ્પિટલ, આઈસોલેશન અને ક્વોરેન્ટાઈનની સુવિધા અને બીમારીની દેખરેખ, ટેસ્ટિંગ અને ક્રિટિકલ કેર ટ્રેનિંગ માટે બનાવવામાં આવી છે. આ સિવાય મેડિકલ ઈક્વિપમેન્ટ, લોકો સુધી ખાવાનું અને દવાની સુવિધાઓ પહોંચાડવી અને પ્રાઈવેટ સેક્ટર અને એનજીઓની સાથે કો-ઓર્ડિનેશન અને લૉકડાઉનને લઈને કમિટી બનાવાઈ છે.
દુનિયાભરમાં 33 હજારથી વધુ લોકોના થયા મોત
ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ હવે દુનિયાના લગભગ 183 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. દુનિયા ભરમાં 33 હજારથી વધારે મોત થયા છે. ડિસેમ્બરમાં જ્યારે ચીનમાં પહેલો કેસ આવ્યો ત્યારથી હાલ સુધીમાં લગભગ 7 લાખ 11 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 1 લાખ 48 હજાર લોકો સાજા થયા છે.