ભારત સહિત કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે કેસમાં જ્યારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા રાહતના પગલા લેવામાં આવી રહ્યાં છે. જોકે લોકોમાં ભયના મહોલ વચ્ચે મહેસાણા જેલમાં કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યાં છે.
કોરોનાના ડર વચ્ચે મહેસાણા જેલના કેદીઓ ભૂખ હડતાળ ઉપર
જેલમાં બંધ 206 કેદીઓને લાગી રહ્યો છે કોરોનાનો ડર
કેદીઓએ બહાર કાઢવાની માગણી સાથે ભૂખ હડતાળ શરૂ કરી
કોરોનાના કેસમાં રાજ્યોમાં જ્યાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ વચ્ચે મહેસાણામાં જેલના કેદીઓ ભુખ હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાની બંધ જેલમાં 206 કેદીઓને કોરોના વાયરસનો ડર લાગી રહ્યો છે.
મહેસાણા જેલમાં 206 કેદીઓ ભુખ હડતાળ ઉપર ઉતરી તમામ કેદીઓ પેરોલ પર છોડવાની માગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલ મહેસાણા જેલમાં 6 બેરેકમાં 206 કેદીઓ છે. જો કે કેદીઓને કોરોનાનો ચેપ લાગવાના ભય થી પેરોલ ઉપર છોડવાની માગ કરી રહ્યાં છે.