વિશ્વ સહિત ભારતમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો કહેર દેશ સહિત ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ પણ લોકો વારંવાર તોડી બહાર રોડ પર કોઇ કામકાજ વગર જોવા મળી રહ્યાં છે. જેને લઇને આ વાયરસના સંક્રમણની અસર વધુ થાય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 71 લોકોના પોઝિટવ રિપોર્ટ આવ્યાં છે. જ્યારે મહેસાણાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1 કેસ પોઝિટિવ જોવા મળ્યો છે.
મહેસાણામાં કોરોનાના 3 શંકાસ્પદ કેસ નોંધાયા
ઊંઝાના યુવકની દુબઈ ટ્રાવેલ હિસ્ટ્રી
કડીનો યુવાન મુંબઈથી આવ્યો હતો પરત
ઉંઝાના સ્થાનીક વૃદ્ધમાં દેખાયા લક્ષણો
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહેસાણામાંતી કોરોના વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાયાનો મામલો સામે આવ્યો છે. આ ત્રણ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાતાં ત્રણેયને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યાં છે.
એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં મહેસાણામાંથી એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યારે આ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવતાં હાલમાં ત્રણેયને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યાં છે.
એક પ્રાપ્ત વિગત અનુસાર આ ત્રણેય વ્યકિતમાં એક ઊંઝાનો યુવક છે. આ યુવકની દુબઇ ટ્રાવેલ હિસ્ટ્રી છે જેને લઇને તેનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં છે. જ્યારે બીજા કેસમાં આ યુવાન કડીનો છે. જે હાલમાં જ મુંબઇથી પરત આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ત્રીજો શંકાસ્પદ કેસ ઉંઝાનો છે. જેમાં એક સ્થાનિક વૃદ્ધમાં આ લક્ષણો દેખાયાં છે.
કોરોનોના વાયરસના ગુજરાતમાં અત્યાર સુધી 71 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી 6 લોકોના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 23 કેસ નોંધાયા છે. ગાંધીનગર, સુરત, વડોદરામાં 9-9 કેસ નોંધાયાં છે, જ્યારે રાજકોટમાં 10, ભાવનગરમાં 6 અને ગીર-સોમનાથમાં 2 કેસ, પોરબંદર, કચ્છ અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે.