ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને અનેક વિકાસ કાર્યો પર તેની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં પરીક્ષા સહિત અનેક ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી હતી. જેમાં મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી માર્કેટયાર્ડની ચૂંટણી રદ્દ થઇ હતી. જો કે હવે કોરોના કારણે રદ્દ કરાયેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આગામી 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
બહુચરાજી માર્કેટયાર્ડ ની ચૂંટણી આગામી 22 સપ્ટેમ્બર ના રોજ યોજાશે
ગત 27 એપ્રિલ ના રોજ યોજાનાર ચૂંટણી કોરોના કારણે રદ્દ થઇ હતી
સહકારી ક્ષેત્રે 2 ટર્મ ના કાયદા થી હાલ ના ચેરમેન ની સત્તા જોખમ માં
મહેસાણા જિલ્લાના બહુચરાજી માર્કેટયાર્ડ ચૂંટણી રદ્દ થયા બાદ ચૂંટણીની નવી તારીખ 22 સપ્ટેમ્બર જાહેર થઇ છે. બહુચરાજી માર્કેટયાર્ડની ચૂંટણીની નવી તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી ચૂંટણી 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઇને તેના ફોર્મ 10 સપ્ટેમ્બરના રોજ ભરાશે. જ્યારે ચૂંટણીનું 23 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. હાલ માર્કટિંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલ છે.
જોકે સહકારી ક્ષેત્રમાં 2 ટર્મ ચૂંટણી જીતેલા ઉમેદવાર ત્રીજીવાર ચૂંટણી લડી ના શકે એવા કાયદા એ વિઠ્ઠલભાઈ પટેલનું પતુ કપાઇ ગયું છે. આ સ્થિતિમાં વિરોધી જૂથ એવું પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ નું જૂથની ચૂંટણી જીતવાની શક્યતા વધી ગઇ છે.
જોકે હવે ચૂંટણી ફોર્મ ભરાય અને ચૂંટણી માં ઉમેદવારો નિશ્ચિત થાય પછી જ અનુમાન લગાવી શકાય કે બહુચરાજી માર્કેટયાર્ડ ઉપર કબ્જો કોણ કરે છે.