ભારતીય દવા કંપનીઓની નજર ચીનમાં કોરોના વાયરસને કારણે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ એનગ્રેડિએન્ટ્સને પુરુ પાડનારી અસર પર છે. નાણાકીય વર્ષ 2018-19માં ચીનની દવા માટેની એનગ્રેડિએન્ટ્સનો કુલ ભારતીય આયાતમાં 67.56 ટકા ભાગ હતો. તેની કિંમત પ્રમામે આ 240.54 કરોડ ડોલર થાય છે. જો ચીનમાં કોરોના વાઇરસને પગલે જે સ્થિતિ છે તેમા જલ્દી જ સુધારો ન થયો તો ઘરેલૂ દવા ઉદ્યોગ પર તેની અસર પડી શકે છે.
ચીનમાં કોરોના વાયરસને કારણે ભારતીય દવા ઉદ્યોગ પર પડી શકે અસર
2018-19માં ચીનના ફાર્માસ્યુટિકલ્સ એનગ્રેડિએન્ટ્સનો કુલ ભારતીય આયાતમાં હતો 67.56 ટકા ભાગ
ભારત એન્ટિબાયોટિક્સ અને વિટામિન જેવા એનગ્રેડિએન્ટ્સને લઇને આયાત પર નિર્ભર છે
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ્સ અલાયન્સના મહાસચિવ સુદર્શન જૈને કહ્યું, 'તમામ કંપનીઓએ સ્થિતિ પર નજર બનાવી રાખી છે. સરકાર પણ મામલાથી અવગત છે અને તમામ પક્ષ વર્તમાન સ્થિતિનો સામનો એકજુટ થઇને સામો કરી રહી છે.
તેઓએ કહ્યું કે ચીનમાં થઇ રહેલી પ્રગતિ, મહત્વપૂર્ણ ફાર્માસ્યુટિકસ્લ એનગ્રેડિએન્ટ્સના પુરવઠા વગેરે પર ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવી રહી છે. તથા એ વૈકલ્પિક સ્ત્રોતને શોધવામાં આવી રહ્યા છે, જ્યાંથી જરુરી એનગ્રેડિએન્ટ્સને મંગાવવા માટે નિયમનકારી મંજૂરી મળી શકે.
સુદર્શન જૈને કહ્યું, ભારત એન્ટિબાયોટિક્સ અને વિટામિન જેવા એનગ્રેડિએન્ટ્સને લઇને આયાત પર નિર્ભર છે. કંપનીઓ આ એનગ્રેડિએન્ટ્સના બે-ત્રણ મહીનાના ભંડાર બનાવીને રાખે છે.
દવા કંપની સનોફી ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, હાલ કોરોના વાયરસથી પડી રહેલી અસરનું અનુમાન લગાવવું ઉતાવળ ગણાશે. અમે પુરવઠામાં કોઇ અવરોધ ન આવે, એ સુનિશ્ચિત કરવા માટે સ્થિતિની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.