દુનિયામાં વધી રહેલા કોરોનાનાં કેસોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આશરે 153 કેસો ભારતમાં જ્યારે વિશ્વમાં પ્રતિદિન 5.87 લાખ કોવિડ-19નાં કેસ નોંધાઇ રહ્યાં છે.
કોવિડ નિરોધક રસી માટે ઇન્જેક્શનની જરૂર નથી
નાકથી અપાતી નેઝલ વેક્સિનને મળી મંજૂરી
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સદનમાં આપી માહિતી
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લાં કેટલાક દિવસોથી દુનિયાનાં કેટલાક દેશોમાં કોરોનાનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે પરંતુ છેલ્લા 1 વર્ષથી ભારતનાં કોવિડ-19નાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મનસુખ માંડવિયાએ સદનમાં જણાવ્યું કે વિશેષજ્ઞ સમિતિએ કોરોના વાયરસને લઇને નાકથી આપવામાં આવતી નેઝલ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ થાય છે આવનારા દિવસોમાં કોરોનાથી બચવા માટે ઇન્જેક્શનની જરૂરત નહીં પડે.
आज हम तैयार है देश की मेडिसिन की जरूरत और वैक्सीन की जरूरत पूरा करने के लिए।
एक्सपर्ट कमेटी ने Nasal vaccine को अनुमोदित कर दिया है। ये भी भारत ने, भारत के वैज्ञानिकों ने विकसित कर दिया है। ये उनकी उपलब्धि है।
હવે ઇન્જેકશનને કહીએ અલવિદા!
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સદનમાં જણાવ્યું કે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડે 28 નવેમ્બરનાં જણાવ્યું હતું કે તેમણે નાકથી લેવામાં આવતી કોવિડ-19ની વેક્સિન ઇનકોવેક (બીબીવી154)ને કેન્દ્રીય ઔષધી માનક નિયંત્રણ સંગઠનથી ભારતમાં 18 કે તેથી વધુ ઉંમરનાં લોકોને ઇમરજન્સીની સ્થિતિમાં નિયંત્રીત ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધેલ છે. ઇનકોવેક દુનિયાની પહેલી એવી વેક્સિન છે કે જેને પ્રાથમિક સીરિઝમાં અને હેટ્રોલોગસ બૂસ્ટર ખોરાક બંનેનાં રૂપમાં મંજૂરી મળી છે.
વેક્સિન નિર્માતાએ નેઝલ વેક્સિન અંગે આપી માહિતી
કંપનીએ કહ્યું કે ત્રણ ચરણોનાં ક્લીનિકલ પરિક્ષણોમાં વેક્સિન લેનારાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેનાં સફળ પરિણામો પ્રાપ્ત થયાં બાદ ખાસ કરીને તેને નાકમાં ડ્રોપ સ્વરૂપે નાખવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. વેક્સિન નિર્માતાએ જણાવ્યું કે બીબીવી154ને ખાસ કરીને નાકનાં રસ્તે આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીનો નાશ નથી થયો- માંડવિયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી હજી પૂરી થઇ નથી. આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર વિદેશથી આવનારાં હવાઇ યાત્રિકોનાં 2% કોવિડ-19 RPTCR રેન્ડમ સેમ્પલિંગ લેવામાં આવી રહ્યાં છે. આપણે કોવિડ-19 વેક્સિનનાં પ્રિકોશન ડોઝ લગાવી, કોવિડ પ્રોટોકોલનું પાલન કરી સાવધાન રહેવું પડશે.