મહામારી / વડોદરામાં કોરોનાથી ટપોટપ મોત અને તંત્ર 'આંકડાંનું સેટિંગ' કરવામાં વ્યસ્ત

વડોદરામાં કોરોનનો મૃત્યુઆંક છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં જિલ્લા બહારના દર્દીઓના મૃત્યુની વિગત જાહેર કરાઇ છે. જેમાં 19 દિવસમાં અન્ય જિલ્લાના 160 દર્દીઓના મૃત્યુ થયા છે. OSD વિનોદ રાવે આંકડા જાહેર કર્યા છે. ત્યારે હવે સ્મશાનમાં મૃતદેહ બહારના જિલ્લાના હોવીની પણ દલીલ કરાઇ રહી છે. માર્ચથી જુલાઇમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં 600 મૃતદેહ આવ્યાની ચર્ચા થઇ રહી છે. સામે તંત્રએ અત્યાર સુધી 147 મૃત્યુ જાહેર કર્યા છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે કોરોના મૃત્યુઆંક કેમ છૂપાવાઇ રહ્યો છે?. લોકોને વાસ્તવિકતાથી કેમ દૂર રખાય છે?. વડોદરાના કોરોના મૃતકોનો આંકડો કેમ છૂપાવો છો?.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ