મહારાષ્ટ્રમાં તબલીગી જમાતના લોકો દેશ અને પોલીસ માટે પડકાર બની રહ્યા છે. નિઝામુદ્દીનથી પરત ફરેલા લોકો પડકાર આપી રહ્યા છે. મરકઝથી મહારાષ્ટ્ર પરત ફરેલા 60 જમાતીઓ ગુમ થયા છે. આ ગુમ થયેલા લોકોના ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યા છે. તંત્રના આદેશના કારણે પોલીસે ગુમ થયેલા જમાતીઓની શોધખોળ શરૂ કરી છે.
મહારાષ્ટ્ર પરત આવેલા 60 જમાતીઓ ગુમ
રાજ્યના ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
ગુમ થયેલા 60 જમાતીઓ પોલીસ માટે બન્યા પડકાર
અહીં, રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, નિઝામુદ્દીન, દિલ્હીમાં તબલીગી જમાતના મરકઝથી પાછા ફરનારા 60 જેટલા લોકોએ સરકાર સાથે સંપર્ક કર્યો નથી. તેમનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે. અનિલ દેશમુખે કહ્યું છે કે જમાતીઓ પોતાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને સાથે તપાસ બાદ ક્વૉરન્ટાઈનમાં રહે. જો તેઓ એવું ન કરે તો તેમની વિરુદ્ધમાં પોલીસને કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Around 50-60 people who had returned to Maharashtra from #NizamuddinMarkaz (Delhi) have switched off their phones and are trying to hide. Police are looking for them in various parts of the state: Maharashtra Home Ministry pic.twitter.com/NR47Z7sy4l
મહારાષ્ટ્રમાં કોરોનાથી એક હોબાળો મચ્યો છે. અહીં લગભગ 1018 લોકો કોરોનાથી સંક્રમિત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા મુંબઈમાં કોરોનાના 642 કેસ છે, જ્યારે 40 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 150 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોનાં મોત નીપજ્યાં છે.
ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ નોંધાયો કેસ
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી ભાજપના ધારાસભ્ય સુજિત સિંહ ઠાકુર પર લૉકડાઉનના નિયમને તોડવાનો આરોપ લગાવાયો છે. તેઓ પત્ની સાથે પંઢરપુર મંદિરમાં પૂજા કરવા ગયા હતા. લૉકડાઉનનો નિયમ તોડવાના આરોપમાં તેમની પર કેસ નોંધાયો હતો.
દેશમાં કુલ કેસની સંખ્યા 4312 થઈ છે અને કુલ 124 લોકોના મોત થયા છે. જ્યારે 352 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે ત્યારે કેન્દ્ર સરકાર આ લોકડાઉનને વધારવા માટે નિર્ણય કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.