મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે ગંભીર રીતે વધારો થઇ રહ્યો છે. દરરોજ સામે આવતા કોરોનાના નવા કેસના આંકડા ખરેખર ચિંતાજનક છે ત્યારે આજે ફરી એકવાર કોરોના વાયરસના 3427 નવા કેસ નોંધાયા હતા.જ્યારે આ 113 લોકોના મોત થયાં છે. આમ, કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 104568 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 3830 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મુંબઇમાં આફત બન્યો કોરોના
છેલ્લા 24 કલાકમાં નવા 3830 કેસ
દર્દીઓની સંખ્યા 104568 પહોંચી
તો આ તરફ એકલા મુંબઇની વાત કરવામાં આવે તો અહીં 56831 લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે જ્યારે 2113 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ સારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 1550 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા હતા જ્યારે અત્યાર સુધીમાં 49346 લોકો સાજા થયાં છે.
Maharastra reports 3,427 new cases of #COVID19 & 113 deaths, taking the total number of cases to 1,04,568 & death toll to 3830: State Health Department pic.twitter.com/eUjqXeMbXQ
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે શનિવારે જણાવ્યું હતું કે કોવિડ -19ને કારણે મુંબઈ પોલીસના 1,233 જવાનો સ્વસ્થ થયા છે અને તેમાંથી 334 ફરી ફરજ પર પાછા ફર્યા છે. દેશમુખે કહ્યું કે તેમને એવા પોલીસકર્મીઓ પર ગર્વ છે કે જેમણે તેમની ફરજો નિભાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
દેશમુખે ટ્વીટ કરીને મુંબઇ પોલીસને આપ્યા અભિનંદન
A total of 1233 policemen from the #MumbaiPolice Force have successfully defeated #Covid19. 334 of them have returned to duty. Congratulations to these #coronawarriors. I am proud of the @MumbaiPolice who risk their lives to perform their duties diligently.
દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, 'મુંબઈ પોલીસ દળના કુલ 1,233 પોલીસકર્મીઓએ કોવિડ -19 ને સફળતાપૂર્વક હરાવ્યો છે. તેમાંથી 334 ફરજ પર પાછા ફર્યા છે. આ કોરોના યોદ્ધાઓને અભિનંદન. મને મુંબઈ પોલીસ પર ગર્વ છે, જેમણે તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પોતાનું જીવન જોખમમાં મૂક્યું છે.