કોરોનાથી જારી ભારતની લડાઈમાં હવે એક ગોળી રુપે નવું હથિયાર મળવા જઈ રહ્યું છે.
દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા અને મોતના સંકટને ઓછું કરશે આ ગોળી
ફાયઝરની ગોળી પેક્સલોવિડમાં હાલ થોડોક સમય લાગી શકે છે
મર્કે પહેલા જ 5 કંપનીઓથી કોન્ટ્રાક્ટ કર્યો
દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા અને મોતના સંકટને ઓછું કરશે આ ગોળી
કોરોનાથી જારી ભારતની લડાઈમાં હવે નવું હથિયાર મળવા જઈ રહ્યું છે. આ એક ગોળી છે જે કોરોનાના દર્દીને આપવામાં આવશે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવા અને મોતના સંકટને ઓછું કરશે. કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે મર્કની એન્ટીવાયરલ દવા મોલનુપિરવીરને થોડાક જ દિવસમાં ઉપયોગની પરવાનગી મળી જશે. કોરોના સ્ટ્રેટજી ગ્રુપ, સીએસઆઈઆરના અધ્યક્ષ ડો. રામ વિશ્વકર્માએ જણાવ્યું તે આ દવા તે વયસ્કો માટે હશે જેમનામાં કોરોનાના ગંભીર લક્ષણો હશે અથવા હોસ્પિટલમાં દાખલ થવાનો ખતરો હશે.
ફાયઝરની ગોળી પેક્સલોવિડમાં હાલ થોડોક સમય લાગી શકે છે
કોવિડ સ્ટ્રેટજી ગ્રુપ, સીએસઆઈઆરના અધ્યક્ષ ડો. રામ વિશ્વકર્માએ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે ફાયઝરની ગોળી પેક્સલોવિડમાં હાલ થોડોક સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું કે બે દવાઓ આવવાથી ઘણી અસર પડી છે. તેમણે જણાવ્યું કે આ મહામારીમાં લડવામાં રસીકરણ વધારે અસરકારક રહશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે મોલમનુપિરવીર જલ્દીથી ઉપબલ્ધ થઈ જશે. 5 એવી કંપનીઓ છે જે દવા નિર્માતાની સાથે મળીને કામ કરી રહી છે. મને લાગે છે કે તેવામાં ક્યારેય ઉપયોગની મંજૂરી નથી મળી શકતી.
મર્કે પહેલા જ 5 કંપનીઓથી કોન્ટ્રાક્ટ કર્યો
ત્યારે ફાયઝરે પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેમની દવા પેક્સલોવિડ નબળા દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવા અથવા જોખમને 89 ટકા સુધી ઓછો કરે છે. મર્કે પહેલા જ 5 કંપનીઓથી કોન્ટ્રાક્ટ કર્યો છે અને જે રીતે મર્કે આ કંપનીઓને આ લાયસન્સ આપ્યું છે. ફાયઝર પણ એવું કરશે કેમ કે ફાયઝરને વૈશ્વિક ઉપયોગ માટે જરુરી દવાઓના નિર્માણ માટે ભારતી ક્ષમતાનો ઉપયોગ કરવો પડશે.