કોરોના સંક્રમણની ઉત્પત્તનીને લઈને અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. WHOપર વાયરસની ઉત્પત્તિ પર શોધ કરવા દબાણ થઈ રહ્યુ છે.
સંયુક્ત ટીમની તપાસ અપર્યાપ્ત અને અનિર્ણાયક
WHOપર વાયરસની ઉત્પત્તિ પર શોધ કરવા દબાણ વધ્યું
ભારતે પણ કોરોનાની ઉત્પત્તિને લઈને તપાસની માંગ કરી
દુનિયાના અનેક દેશોએ ચીન પર આને લેબમાં તૈયાર કર્યાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના તત્કાલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો આને ચીની વાયરસ ગણાવ્યો હતો. હવે અમેરિકા અને બ્રિટને કોવિડની શક્ય ઉત્પત્તિની ઉંડાણપૂર્વક તપાસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન( WHO) પર સતત દબાણ કરી રહ્યા છે. બન્ને દેશોનું માનવું છે કે કોરોના વાયરસની ઉત્પત્તે શોધવા માટે WHOની ટીમ ચીનને નવેસરથી પ્રવાસ કરે. WHO અને ચીની વિશેષજ્ઞોની વચ્ચે માર્ચમાં એક રિપોર્ટ જારી કરી આને મહામારીથી ઉત્પન્ન થનારી 4 શક્યતા અંગે જાણકારી આપી હતી.
સંયુક્ત ટીમની તપાસ અપર્યાપ્ત અને અનિર્ણાયક
સંયુક્ત ટીમનું માનવુ છે કે કોરોના ચમાચિડીયાથી કે અન્ય જાનવરોના માધ્યમથી માણસોમાં પ્રવેશ કરી ગયો છે. તે શક્ય શક્યતા બહું ઓછી છે.આ પ્રયોગશાળામાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જિનેવામાં અમેરિકન મિશને ગુરુવારે એક નિવેદન જારી કરી રહ્યુ હતુ કે કોવિડ 19ની ઉત્પત્તિને લઈને સંયુક્ત ટીમ તરફથી કરવામાં આવેલા પહેલા સ્તરની તપાસ અપર્યાપ્ત અને અનિર્ણાયક છે. એટલા માટે નક્કી સમયની અંદર પાર્દશિત રીતે વિશેષજ્ઞોના નેતૃત્વમાં સાક્ષ્ય આધારિત બીજી તબક્કામાં તપાસ થવી જોઈએ. એટલા માટે ફરી ચીનનો પ્રવાસ થવો જોઈએ.
ભારતે પણ કોરોનાની ઉત્પત્તિને લઈને તપાસની માંગ કરી
ભારતે પણ કોરોનાની ઉત્પત્તિને લઈને WHOની આગેવાનીમાં શરુ વૈશ્વિક અધ્યયનને પહેલુ મહત્વ પૂર્ણ પગલુ ગણાવતા શુક્રવારે કહ્યુ કે આ અંગે પાક્કા પરિણામ સુધી પહોંચવા અને આગળના આંકડા ભેગા કરવા માટે આવનારા તબક્કાના અધ્યયની જરુર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે પોતાના નિવેદનમાં આ વાત કરી હતી.
વાયરસની ઉત્પત્તિને લઈને વધારે અધ્યયન કરવાની જરુર -WHO
માર્ચમાં WHOએ કોવિડ 19ની ઉત્પત્તિને લઈને ચીનના વૈજ્ઞાનિકોની સાથે સંયુક્ત રુપથી લખવામાં આવેલી એક રિપોર્ટ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ પ્રયોગશાળામાં ઉત્પન્ન થવાની શક્યતા ઘણી ઓછી છે. WHOના વિશેષજ્ઞો દ્વારા ચીનમાં મહામારીના કેન્દ્ર વુહાન સહિત અન્ય સ્થાનો પર અભિયાનના સંચાલનની રીત અને બેજિંગથી પર્યાપ્ત મદદના અભાવ પર અમેરિકા અને અન્ય દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અદહાનોમ ગેબ્રિએસસે આના પર સહમતિ વ્યક્ત કરી છે કે વાયરસની ઉત્પત્તિને લઈને આગળ વધારે અધ્યયન કરવાની જરુર છે.
ઉલ્લેખનીય છે કે એક અમેરિકન ગુપ્તચર એજન્સીએ રિપોર્ટમાં નવો ખુલાસો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારી ફેલવાની પહેલા જ વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 શોધકર્તા બિમાર પડ્યા હતા. રિપોર્ટ મુજબ આ રિસર્ચર નવેમ્બર 2019માં બિમાર પડ્યા હતા.