દેશમાં કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ 17 મે સુધી લાગુ છે. 18મેથી લોકડાઉન 4 શરૂ થશે પરંતુ આ ત્રણ તબક્કાથી અલગ હશે. સરકારનો પ્રયત્ન છે કે લોકડાઉનના ચોથા તબક્કામાં જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિને સામાન્ય બતાવામાં આવે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌથી પહેલા રાહત ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં આપવામાં આવશે, જેમાં કેટલાંક ક્ષેત્રોમાં હવાઇ તેમજ બેસ સેવા શરૂ કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે નૉન-હોટસ્પોટવાળા વિસ્તારોમાં સીમિત ક્ષમતાની સાથે બસો ચલાવાનું શરૂ કરવામાં આવશે. આ સાથે ક્ષમતાને ધ્યાનમાં રાખી ઓટો રીક્ષા તેમજ ટેક્સી ચલાવાની પણ મંજૂરી આપવામાં આવશે. જેમાં સૌથી વધારે માત્ર નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ ચલાવાની મંજૂરી આપવામાં આવશે. જેને લઇને રાજ્ય સરકારો અંતિમ નિર્ણય લેશે.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ટ્રાવેલ પાસ જરૂરી થશે. સરકાર આવતા અઠવાડિયાથી સ્થાનિક હવાઇ સેવા શરૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મે ના રોજ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉનમાં છૂટછાટ આપવાને લઇને મુખ્યમંત્રીઓ પાસે સૂચનો માગ્યા હતા. હાલમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ લોકડાઉનના ચોથા તબક્કાને લઇને દિશા-નિર્દેશ તૈયાર કરી રહ્યાં છે.
અધિકારીએ એ તરફ પણ સંકેત આપ્યાં કે લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યોના હોટસ્પોટ બતાવવાની મંજૂરી આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠકમાં કેટલાંક મુખ્યમંત્રીઓ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
રાજ્યો દ્વારા જાહેર કરાયેલા હોટસ્પોટ વિસ્તારોમાં કોઇપણ પ્રકારની પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીઓની બેઠક બાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે લોકડાઉન-4 નવા નિયમો અને શરતો સાથે બિલકુલ અલગ હશે.