એક તરફ ગુજરાતમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તંત્ર દ્વારા એક બાજુ લોકડાઉનનો કડક અમલ કરાવાને લઇને તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે કે લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. ત્યારે વડોદરા શહેરમાં લોકડાઉન વચ્ચે એક અઠવાડિયા સુધી પાણીકાપને લઇને લોકોમાં ચિંતા વધી ગઇ છે.
આજથી વડોદરામાં એક સપ્તાહ સુધી પાણીકાપ
ઉનાળામાં લોકોને પાણી માટે થવું પડશે હેરાન
પૂર્વ-દક્ષિણ વિસ્તારના 6 લાખ લોકોને થશે અસર
વડોદરા શહેરના લોકોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ તંત્ર કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનમાં ઘરમાં રહેવા અપીલ કરી રહી છે. ત્યારે બીજી તરફ સૌથી જીવનજરૂરિયાત વસ્તુ પર તંત્ર દ્વારા કાપ મુકવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરામાં આજથી એક અઠવાડિયા સુધી પાણીકાપ મુકવામાં આવશે. ભર ઉનાળે લોકડાઉન વચ્ચે લોકોને પાણી માટે હેરાન થવું પડશે. શહેરના પૂર્વ-દક્ષિણ વિસ્તારના 6 લાખ લોકોને આની અસર થશે.
વડોદરા શહેરના નિમેટા ખાતેના શુદ્ધિકરણ પ્લાન્ટમાં રિપેરિંગ કામગીરી ચાલુ થવાના કારણે શહેરમા પાણીકાપ મુકવામાં આવશે. આ કામગીરી પીળા કલરના દૂષિત પાણીની સમસ્યાના પગલે શરૂ કરવામાં આવી છે. આજથી એક અઠવાડિયા સુધી પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં 10થી 15 મિનિટ પાણીકાપ મુકવામાં આવશે.