ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનને લઇને રાજ્યભરમાં ગરીબો માટે ભોજનની વ્યવસ્થાને લઇને તંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓ અને NGOને અપિલ કરી મદદ કરાવા અંગે જણાવામાં આવ્યું હતું. જો કે હાલમાં મળતી વિગત અનુસાર વડોદરામાં ગરીબોને ભોજન કરાવવામાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઇ હોવાનું સામે આવ્યું છે.
પાલિકા દ્વારા ચાલતું રસોડું માત્ર 10 દિવસમાં જ થયું બંધ
OSD વિનોદ રાવે ગરીબો ને જમાડવાની લીધી હતી જવાબદારી
રાજ્યભરમાં ઘણી જગ્યાએ ગરીબોને ભોજન પહોંચાડવાની સહાય કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં ગરીબોને ભોજન કરાવવામાં મહાનગરપાલિકા નિષ્ફળ સાબિત થયું છે. શહેરની પાલિકા દ્વારા ચલાવવામાં આવતું રસોડું માત્ર 10 દિવસમાં જ બંધ થઇ ગયેલું જોવા મળ્યું છે.
લોકડાઉન દરમિયાન ગરીબ પરિવારોને જમાડવાની OSD વિનોદ રાવે જવાબદારી લીધી હતી. જોકે તંત્ર દ્વારા સામાજિક સંસ્થા અને NGOએ પણ સેવા આપવાનું બંધ કરાવવામાં આવ્યું છે. સામાજીક સંસ્થાઓના રસોડા બંધ થતા હજારો ગરીબોને ભોજન મળતું બંધ થયું છે.
જો કે શહેરમાં ગરીબોને ભોજન ન મળતાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ નારાજ થયા છે. ત્યારે આજે પાલિકામાં ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે મળનારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.