ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરનાના લઇને રાજ્યભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના વડોદરામાંથી ફરી રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં કોરોના સંક્રમિત તબીબ સહિત 4 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ઉલ્લેખનીય છે ગઇકાલે એક સાથા 45 દર્દીઓ સાજા થયા હતા. જેમાં તમામ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
કોરોના સંક્રમિત તબીબ સહિત 4 દર્દીઓ કોરોના મુક્ત
ડો.ફેઝાન કુરેશી સહિત ચાર દર્દીઓને અપાઈ રજા
પાણીગેટની નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તબીબ
વડોદરા શહેરમાં આજે ફરીથી વધુ એક વખત કોરોનાને લઇને રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં કોરોના સંક્રમિત તબીબ સહિત 4 દર્દીઓ કોરોના મુક્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ડો. ફેઝાન કુરેશી સહિત ચાર દર્દીઓને રજા આપવામાં આવી.
ડો. ફેઝાન કુરેશી શહેરની પાણીગેટની નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તબીબને ફરજ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો કે કોરોના મુક્ત થયા બાદ ડો. ફેઝાને વડોદરા આરોગ્ય તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાંથી અત્યાર સુધીમાં કુલ 57 દર્દીઓ સાજા થયા છે. આ અગાઉ શહેરમાંથી કોરોનાને લઇને મોટા સમાચાર આવ્યાં હતા. જેમાં એકસાથે કોરોના સંક્રમિત 45 દર્દી સાજા થયા હતા. આ તમામ દર્દીઓના 2 વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી તમામ 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.