ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોનાની તપાસ કરવા માટે ગયેલી મેડિકલ ટીમ પર થયેલા હુમલામાં 17 લોકોને ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 1 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ડ્રોન કેમેરાની મદદથી પકડાયેલા લોકોની ઓળખ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળની પાસે મહિલાઓ અને પુરુષો ધાબા પરથી પથ્થર મારી રહ્યા હતા.
નવાબપુર વિસ્તારમાં થયો હતો મેડિકલ ટીમ પર હુમલો
સીએમએ આરોપીઓ પર NSA લગાવવાનો આદેશ આપ્યો છે
ગુનેગારો પાસેથી વસૂલવામાં આવશે નુકસાનન
યોગી આદિત્યનાથે સમગ્ર ઘટના પર કડકાઈથી નારાજગી વ્યક્ત કરી છે . સીએમે આરોપીઓની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવવાના આદેશ આપ્યા છે. સીએમન આદેશ મુજબ નુકસાનની ભરપાઈ આરોપીઓ પાસેથી જ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુરાદાબાદમાં શંકાસ્પદ દર્દીઓને લેવા ગયેલી 2 મેડિકલ ટીમ પર નવાબપુર વિસ્તારના લોકોએ મેડિકલ ટીમ પર પથ્થર મારો કર્યો હતો.
મેરઠમાં થયો હતો હુમલો
હાલમાં મેરઠમાં મસ્જિદના ઈમામ સહિત 4 લોકોએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. નોંધનીય છે કે અહીં 4 જમાતી આવ્યા હતા. તે દારાવાલી મસ્જિદમાં રોકાયા હતા. જેમાંથી 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અધિકારી પોલીસ દળ મસ્જિદ સીલ કરવા માટે ગયા હતા.
ઔરંગાબાદમાં 44 ની ધરપકડ
બિહારના ઔરંગાબાદમાં સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસ પર હુમલોક કરવાના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ મામલામાં 44 લોકોની ધરપકડ કરી છે. બુધવારે ગ્રામીણ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ અને પોલીસ પર હુમલો કર્યો હતો. ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓને માર્યા હતા. કોઈ પણ રીતે મેડિકલ ટીમ ત્યાંથી જીવ બચાવી ભાગી હતી.