હમીરપુરમાં પ્રવાસી મજૂરો ભરેલી બસે પલટી મારી હતી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 31 શ્રમિકો હતા. સદરના સીટી ફોરેસ્ટ પાસે બસ પલટી જવાના કારણે આ ઘટના બની હતી અને 6થી વધુ લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને ઊંઘ આવી જવાના કારણે અકસ્માત થયો હતો.
યૂપીના હમીરપુરમાં શ્રમિકોની બસ પલટી
ડ્રાઈવરની ઊંઘના કારણે બસ પલટી
31 શ્રમિકોમાંથી 6 શ્રમિકો થયા ઘાયલ
ઉલ્લેખનીય છે કે શ્રમિકોથી ભરેલી આ બસ નોઈડાથી મહોબા જઈ રહી હતી. ડ્રાઈવરને ઊંઘ આવી જવાના કારણે કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. ઘટનામાં કેટલાક મજૂરોની સ્થિતિ ગંભીર બની છે. આ પહેલાં પણ કુશીનગરમાં મજૂરોની બસનો એક્સીડન્ટ થયો હતો.
અગાઉ પણ આ જગ્યાએ થયો હતો અકસ્માત
કુશીનગરના એનએચ 28 પર શાહી પેટ્રોલ પંપની પાસે કામદારોને લઈને બિહાર જઈ રહેલી બસે ડુંગળીની ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અને બસનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. ઘટનામાં આગળ બેઠેલા 12 મજૂરો ગંભીર રીતચે ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ લોકોએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકોએ પોલીસની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા. હાલમાં 7 લોકોની હાલત નાજુક છે. તેમને ગોરખપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. અન્ય શ્રમિકોને બીજી બસની મદથી બિહાર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.