કોરોના સંકટને લઇને દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે હવે 1 જૂનથી અનલૉક 1 લાગૂ થઇ ચૂક્યું છે. જેમાં સરકાર દ્વારા રાજ્યમાં વાઇનશોપ ખોલવાની મંજૂરી આપી છે. ત્યારે રાજકોટમાં દારૂની દુકાનો ખુલતાની સાથે જ લોકો મોટી સંખ્યામાં લોકો ઉમડી પડ્યા અને દારૂ લેવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. મહત્વનું છે કે, રાજ્ય ગૃહમંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યમાં પરમિટ ધારક વાઈનશોપને મંજૂરી આપવામાં આવી છે. જોકે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.
રાજકોટ દારૂ ખરીદવા લોકોની લાઈનો લાગી
યાજ્ઞિક રોડ પર ઈંપિરિયલ હોટલની વાઇનશોપમાં લાઈનો લાગી
અનલૉક-1 છુટછાટ મળતા આજથી વાઇનશોપ ખુલ્યા
રાજકોટમાં આખરે અનલૉક-1 લાગુ થયું અને વાઈન શોપને દારૂ વેચવાની મંજૂરી મળી. વાઈન શોપ ખુલવાની રાહ જોઈને બેઠેલા લોકોએ ધીરજ ગુમાવી. રાજકોટના યાજ્ઞિક રોડ પર ઈન્પિરિયલ હોટલમાં વાઈન શોપ ખોલવામાં આવી. જ્યાં લોકોએ દારૂ ખરીદવા માટે લાઈનો લગાવી દીધી.
હાલ દેશભરમાં કોરોનાના કારણે લોકોને ખાંવાના ફાંફા પડી રહ્યા છે. તેવામાં બીજી તરફ લોકો મોંઘા ભાવનો દારૂ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. કેટલાક લોકો આખે આખી પેટી લઈને જતા નજરે પડ્યા. તો કેટલાક લોકોએ લૉકડાઉન જાહેર થયું ત્યારથી દારૂ ન ચાખ્યો હોય તેમ દારૂ ખરીદવા માટે અધીરા થયા હતા.
મહત્વનું છે કે, રાજ્યમાં દારૂ પરમીટધારકો અને હોટલોના સંચાલકો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ વાઈનશોપ ખોલવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. વાઈનશોપ બંધ રહેવાના કારણે તેમની આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો અને હેલ્થ સાથેની દારૂની પરમીટ આપવામાં હોવાથી લોકોની હેલ્થને ધ્યાનમાં રાખીને મુદ્દત આપવાની માંગણી કરવામાં આવી હતી. જેને લઇને હવે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, 1 જૂનથી રાજ્યભરમાં વાઈન શોપ ખોલવામાં આવશે.