ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશના આંકડાએ ચીનને પણ પાછળ રાખી દીધું છે, જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 10 હજારની નજીક જોવા મળી રહી છે. ત્યારે સુરત મનપા સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં શહેરમાં બે લાખથી વધુ લોકો કોમોરબીડ જોવા મળ્યાં છે.
સુરત મનપા સર્વેમાં આવી ચોંકવાનારી વિગતો
શહેરમાં બે લાખથી વધુ લોકો કોમોરબીડ
કોમોરબીડ લોકોને ખાસ કાળજી લેવા મનપાની તાકીદ
સુરત મહાનગરપાલિકાના સર્વેમાં ચોંકવાનારી વિગતો સામે આવી છે. જેમાં શહેરમાં બે લાખથી વધુ લોકો કોમોરબીડ છે. ત્યારે કોમોરબીડ લોકોને ખાસ કાળજી રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ તાકીદ કરી છે. સુરત શહેરમાં 39.11 લાખ લોકોના સર્વેમાં ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે.
સુરત મનપા દ્વારા APX પદ્ધતિથી 1900 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. કોમોરબીડમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ફેફસાંના રોગોની ગણતરી થાય છે. આ ઉપરાંત કિડની, લીવર કે અન્ય રોગના લોકોને પણ કોમોરબીડમાં ગણવામાં આવે છે.
એક તરફ શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના તમામ ઝોનમાં મહાનગરપાલિકા દ્વારા કોમોરબીડ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 39.11 લાખમાંથી 2.17 લાખ લોકો કોમોરબીડ મળી આવ્યા છે.
કોમોરબીડ એટલે શું?
કોમોરબીડમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના લોકોનો સમાવેશ થાય છે