ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે સુરતના રત્નકલાકારોને પોતાના વતનમાં જવાની આપેલી મંજૂરી બાદ ખાનગી બસને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે તરફથી રાહતના સમાચાર આવ્યાં છે. રાજ્ય સરકારે રત્નકલાકારોને સૌરાષ્ટ્રમાં જવા માટે GSRTC બસની મંજૂરી આપી છે.
સુરતથી સૌરાષ્ટ્ર જવા ઇચ્છતા લોકો માટે આનંદના સમાચાર
રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર જવા માટે GSRTC બસને આપી મંજૂરી
રત્નકલાકારોને દિવાળીના ભાડામાં લઇ જવાશે
સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના રત્નકલાકારોને વહારે રાજ્ય સરકાર આવી છે. શહેરના રત્નકલાકારોને પોતાના વતનમાં જવા માટે અગાથી જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જો કે રત્નકલાકારોને પોતાના વતનમાં મોકલવાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે એસટી બસની મંજૂરી આપી દીધી છે.
આમ સુરતથી સૌરાષ્ટ્ર જવા ઇચ્છતા રત્નકલાકારો માટે આનંદના સમાચાર આવ્યાં છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર જવા માટે GSRTC બસની મંજૂરી આપી છે. આ સાથે સરકારે ખેડૂતો અને રત્નકલાકારોને દિવાળીના ભાડામાં લઇ જવાશે. આ સુરતના રત્નકલાકારો ને રાહતદરે પોતાના વતન લઇ જવામાં આવશે.
આમ સુરતથી રત્નકલાકારો માટે રાજ્યના અલગ-અલગ જિલ્લા માટે બસની સેવા શરૂ કરાશે. જેમાં રત્નકલાકારોને તેમના વતન મોકલવાની શરૂઆત કરાશે.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આજથી સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં રત્નકલાકારો અને એબ્રોઇડરી કારીગરોને વતન મોકલવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા તમામને અગાઉ લકઝરી બસ દ્વારા પોતાના વતનમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી જો કે હવે સરકાર દ્વારા GSRTC દ્વારા મોકલાવની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ મુસાફરોના સ્ક્રિનિંગ કરાયા બાદ બસોને રવાના કરવામાં આવશે.