ગુજરાતમાં કોરોનાના વધતા હાહાકર વચ્ચે લોકડાઉનના પગલે લોકોને મુશ્કેલીનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ પોતાના વતનથી દૂર રહેતા લોકોને પરત જવાનો સૌથી મોટી ચિંતાનો વિષય છે. ત્યારે સુરત ખાતેથી રત્નકલાકારોને પોતાના વતન જવા માટે સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને રાજ્યના અમરેલી જિલ્લામાં રત્નકલાકારોની આવકનો પ્રવાહ વધ્યો છે. જો કે જિલ્લામાં આવતી તમામ બસોની ચેકપોસ્ટ ખાતે તપાસ કરાયા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં રત્નકલાકારોના આવકનો પ્રવાહ વધ્યો
સુરત-અમદાવાદથી આવી રહ્યાં છે રત્નકલાકારો
બસોની આવકને લઇ ચેકપોસ્ટ ખાતે તપાસ શરૂ
અમરેલી જિલ્લામાં રત્નકલાકારોના આવકનો પ્રવાહ વધ્યો છે. સુરત-અમદાવાદથી રત્નકલાકારો જિલ્લામાં આવી રહ્યાં છે. એસટી બસોની આવકને લઇ ચેકપોસ્ટ ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં આવતી બસોની સુરતથી પણ તપાસ થશે અને તાલુકા મથકના સ્થળે કુલ 3 વાર તપાસ થશે. જેમાં શંકાસ્પદ કે અન્ય બિમારીવાળાને ક્વોરન્ટાઇન કરાશે. જેમાં લક્ષણ વિનાના લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાશે. અમરેલી જિલ્લા સિવાયના વાહનો-બસોને જિલ્લામાં પ્રવેશબંધી કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં બહારથી આવ્યાં 1300 લોકો
સરકારે પોતાના વતન જવા માટે લોકોને છૂટ આપી છે. જેને લઇને રાજકોટમાં પણ બહારથી 1300 લોકો આવ્યા છે. શેહરમાં છેલ્લા 2 દિવસમાં 1300થી વધુ લોકો આવ્યા છે. જેમાં અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. 1300માંથી 584 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સરકારે છૂટ આપતા લોકોની અવરજવર વધી છે. જિલ્લાની હદો પર પોલીસ-આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.