ગુજરાતમાં જ્યાં કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા વારંવાર તેનો અમલ કરવા તાકીદ કરવામાં આવી રહી છે. તેમ છતાં ગઇકાલે સુરત શહેરમાં APMC માર્કેટમાં મોટી સંખ્યા લોકો ભેગ થતાં વિવાદ ઉભો થયો હતો. જેને લઇને આજે APMCના પદાધિકારીઓની કલેકટર સાથે બેઠક યોજાઇ હતી, જેમાં APMC માર્કેટ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત APMCમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાનો મામલો
સુરત APMC માર્કેટ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ
APMCના પદાધિકારીઓની કલેક્ટર સાથે યોજાઈ બેઠક
સુરત APMCમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા મામલે સુરત કલેક્ટર ઓફિસે ખાસ બેઠક યોજાઇ હતી. શનિવારે સુરત APMCમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન હતું કર્યું. જેને લઇ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સુરત APMCમાં શાકભાજી ખરીદવા હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. જેને લઇ આજે APMCના પદાધિકારીઓ સાથે કલેક્ટર બેઠક યોજી હતી.
સુરતમાં APMCના પદાધિકારીની કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં APMC માર્કેટ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે હવે લોકોને શાકભાજી માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. APMCના હજારો લોકો એકઠા થયાં હતા. આ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં આજે નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સુરત શહેરના APMC માર્કેટમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતાં ફરીવાર વિવાદ થયો હતો. જેમાં લોકો પોતાનો માલ આપવાનો પાસ લેવા ભાગ થયા હતા. જેમાં એકઠા થયેલા લોકોને હટાવવા પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે સમજાવ્યાં હતા કે લોકડાઉન અને કલમ 144નો ભંગ ન કરો જો આમ કરતાં રહેશો તો આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો કે સુરતની APMC માર્કેટમાં અંદર જવા પાસ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા, જેને લઇને લોકો વચ્ચે ધક્કા-મુક્કી સર્જાઇ હતી. વહીવટી તંત્ર છેલ્લા 10 દિવસમાં વ્યવસ્થા ન કરી શકતા હાલ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.