ગુજરાતના કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના પગલે સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રવાસીઓ માટા સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે. સુરતમાંથી સૌરાષ્ટ્રવાસીઓને વતન મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને આજે શહેરમાં વિશેષ કમિટિની બેઠક યોજાઇ હતી. જેમાં સુરતથી લકઝરી દ્વારા બીજા જિલ્લાઓમાં રત્નકલાકારો જઇ શકશે.
સુરતમાં વસતા બીજા જિલ્લાના લોકો માટે મોટા સમાચાર
સુરતમાંથી લક્ઝરી દ્વારા બીજા જિલ્લામાં જઇ શકાશે
લકઝરી બસ માટે બન્ને કલેકટરની પરમિશન લેવી પડશે
સુરતમાં વસતા બીજા જિલ્લાના લોકો માટે અગત્યના સમાચાર આવ્યાં છે. સુરતમાંથી લક્ઝરી દ્વારા બીજા જિલ્લામાં જઇ શકાશે. જો કે તેના માટે સામેના જિલ્લા કલેકટર પરમિશન આપશે તો જઇ શકાશે. લકઝરીમાં જનાર લોકોનું પરિક્ષણ કરીને જવા દેવાશે.
જો કે લકઝરી બસ માટે બન્ને કલેક્ટરની પરમિશન લેવી પડશે. સુરતમાં વસતા સેંકડો લોકો પોતાના જિલ્લામાં જવા માગે છે ત્યારે શરૂઆતમાં માત્ર લક્ઝરી બસોને જ પરમિશન આપશે. આંતર જિલ્લામાં જવા માગતા લોકોને લઇને નિર્ણય લેવાયો છે. જેમાં તમામનું સ્ક્રિનિંગ કરાશે અને પછી બસને મંજૂરી પત્ર અપાશે. જેટલા લોકો જશે તેમને ક્વોરન્ટાઇન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને વતનમાં મોકલવાના મામલે આજે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રવાસીઓને વતન મોકલવા અંગે ચર્ચા હાથ ધરાઇ હતી. આ અંગે સૌરાષ્ટ્રના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ ધીરજ રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
સુરતથી વતન જનારા માટે નિયમ શું?
સુરતથી સૌરાષ્ટ્રવાસીઓ તેમના ગામોમાં જઇ શકશે
સુરતથી લોકો નીકળે ત્યારે સ્ક્રિનિંગ કરાશે
વતનમાં પણ મેડિકલ ચેકઅપ કરાશે
બીમારીના લક્ષણ ધરાવાતા લોકોને નહીં મોકલવામાં આવે
સુરતથી જનારાને 14 દિવસ ક્વોરોન્ટાઈન થવુ પડશે
સુરતથી સૌરાષ્ટ્ર જતા શ્રમિકો માટે ક્વોરોન્ટાઈન ફરજિયાત છે