મિશન / ભારતીયોને વિદેશથી પરત લાવવા શરૂ થયું વંદે ભારત મિશન, આ શહેરોમાં 64 ફ્લાઈટ્સ દ્વારા આવશે વતન

coronavirus lockdown repatriationof flights 64 flights will land 14 cities focus to reach closest to home

કોરોના સંકટને કારણે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ભારત લાવવાનું કામ શરૂ થયું છે. દુબઇથી 177 ભારતીયોને લઇને વિમાન ચેન્નઇ ઇન્ટરનેશલ એરપોર્ટ પહોંચ્યું તો બહરીનથી પણ 182 ભારતીયોને લઇને કોચીન પહોંચ્યું છે. ખાડી દેશોથી 27 ઉડાનો, બાંગ્લાદેશથી 7 ઉડાન રવાના થઈ ચૂકી છે. દક્ષિણ-પૂર્વ એશિયાથી 14 અને અમેરિકાથી 7 ઉડાનો રવાના થઈ છે. લંડનથી પણ 7 ઉડાનો ભારત માટે રવાના થશે. દેશના કુલ 14 શહેરોમાં ભારતીયોને લાવવામાં આવશે. અત્યાર સુધીમાં 67833 લોકોએ સ્વદેશ આવવા રજીસ્ટ્રેશન કર્યુ છે. તો હાલ સુધીમાં 4 જહાજ સ્વદેશ પહોંચ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ