ગુજરાતમાં કોરોના કહેરના પગલે જાહેર કરાયેલા લોકડાઉનમાં આજરોજથી ધંધા-રોજગારની તેમજ સરકારી કચેરીઓનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાને લઇને આજે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને સવારે 7 થી 9 વાગ્યા સુધી જ બોલાવવામાં આવશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાને લઇ બેઠક યોજાઇ
રજિસ્ટ્રેશન કર્યું છે તે ખેડૂતોને બોલાવવામાં આવશે
તમામ ખેડૂતોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે
રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાને લઇ બેઠક યોજાઇ છે. જેમાં વેપારીઓ, દલાલો અને માર્કેટ યાર્ડના સત્તાધીશો વચ્ચે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જેમાં રજિસ્ટ્રેશન કર્યું છે તે ખેડૂતોને જ બોલાવવામાં આવશે.
આજે યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યાં મુજબ રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને 7થી 9 વાગ્યા સુધી જ બોલાવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત માત્ર ઘઉંની જ હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે તમામ ખેડૂતોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે તેવો પણ નિર્ણય કરાયો છે.
શું છે નવા નિયમ?
રજિસ્ટ્રેશન કર્યું છે તેમાંથી 50 ખેડૂતોને બોલાવાશે
વાહનની અંદર એક ખેડૂત અને એક ડ્રાઇવર જ હોવો જોઇએ
ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ આપવું પડશે, ડ્રાઇવરનું હશે તો પણ ચાલશે
સવારે 7થી 9 સુધી જ વાહનોને એન્ટ્રી અપાશે
પહેલા 50 ખેડૂતોને બોલાવાશે અને વ્યવસ્થા યોગ્ય રહી તો 100 પણ બોલાવીશું
વ્યવસ્થા યોગ્ય રહી તો ઘઉં બાદ અન્ય આવક પણ શરૂ કરીશું