ભારતમાં કોરોના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં ઉદ્યોગ-ધંધા બંધ કરવામાં આવ્યા છે. જો કે સૌરાષ્ટ્રના તેલ એસોસિયશન દ્વારા રજૂઆત બાદ અત્યાર સુધીમાં 100તી વધુ તેલ મિલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં વધુ 25 તેલ મિલો ફરી શરૂ થશે
લોકડાઉનને લઈને તેલ મિલો હતી બંધ
અત્યાર સુધીમાં 100થી વધુ ફેક્ટરીને મંજૂરી આપાઈ છે
રાજકોટ જિલ્લામાં વધુ 25 તેલ મિલો ટૂક સમયમાં ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે ગુજરાતમાં લોકડાઉનના પગલે તેલ મીલો બંધ કરવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં 100થી વધારે ફેકટરીને મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં ઉપલેટા, ધોરાજી, જસદણમાં મિલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે લોધિકા, ગોંડલ, પડધરીમાં સિંગતેલ મિલોને મંજૂરી અપાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યભરમાં ઉદ્યોગ-ધંધાઓ ઠપ થઇ ગયા છે. કોરોનાને લઇને સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું જણાવામાં આવ્યું છે. આ સાથે લોકડાઉનના પગલે તેલ મિલો બંધ હોવાથી ખાદ્યતેલની ડિમાન્ડ વધી છે.