લોકડાઉનના ત્રીજા તબક્કા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે દેશના બધા રાજ્યની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મંથન કર્યું. પીએમ મોદીએ બધા મુખ્યમંત્રીઓને 17 મે બાદ લોકડાઉનની સ્થિતિ પર ફીડબેક લીધું. આ મેરાથોન બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાની વાત રાખી.
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે કરી વાત
પીએમ મોદીએ આપ્યું નવુ સૂત્ર, 'જન સે જગ તક'
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે તમારા લોકોના ઉત્સાહના કારણે આ લડાઇ જીતીશું. જે લોકો પોતાની પૂર્ણ વાત રાખી શક્યાં નથી તેઓ 15 મે સુધીમાં પોતાના સુચન મોકલે. આપણે અત્યારે એ વિચાર કરી રહ્યાં છે કે કેવી રીતે આર્થિક ગતિવિધિઓને તેજ બનાવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન એમ પણ જણાવ્યું કે કોરોનાની પછી એક નવી જીવનશૈલી વિકસિત થશે. દેશમાં પ્રવાસની પુષ્કળ શક્યતા છે, તેને પણ નવી રીતે જોવી પડશે. ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને શિક્ષાના નવા મોડ્યૂલ વિકસિત કરવા પડશે.
પોતાની સમાપન ટિપ્પણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનસેવા ના પ્રયત્નોને સંબોધિત કરવાની આવશ્યકતા છે. આ સાથે પીએમ મોદીએ નવું સૂત્ર આપ્યું. પીએમ મોદીનું નવુ સૂત્ર 'જન સે જગ તક'. આ નવા સૂત્ર સાથે પીએમ મોદીનો તર્ક હતો કે જેમ પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયા બદલાઇ ગઇ તેવી જ રીતે કોરોના પછી પણ વસ્તુઓ બદલાશે.