કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર દેશને સંબોધન કરશે.. PM રાત્રે 8 વાગે રાષ્ટ્રજોગ સંદેશ આપશે. સરકાર તરફથી કોરોનાને રોકવા માટે જે પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે તે અંગે માહિતી આપશે. તો આ દરમિયાન લોકડાઉન પર પણ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
સૂત્રોનું માનીએ તો PM મોદી આજે લોકડાઉનના ચોથા તબક્કાનું એલાન કરી શકે છે. આ તબક્કામાં લોકોને વધુ છૂટછાટ આપવામાં આવી શકે છે. સાથે જ PM મોદી લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પણ અપીલ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે PM મોદીએ અનેક મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવાના મતમાં હતા. મુખ્યમંત્રીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM સાથે વાતચીત કરી હતી. અને આ વાતચીત બાદ PM હવે દેશને સંબોધન કરવાના છે. અને આ સંબોધન પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત દેશની આર્થિક સ્થિતિને સુધારવા અંગે પણ PM કોઈ નવી જાહેરાતો કરી શકે છે.
જો કે આર્થિક પડકાર પણ ચર્ચાને લઇને મોટો વિષય છે. કારણ કે રાજ્ય સરકાર સતત તિજોરી ખાલી થવાની વાત સાથે કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની ડિમાન્ડ કરી રહી છે. એવામાં એ વાતની શક્યતા સામે આવી રહી છે કે લોકડાઉન 4.0માં વધારે છૂટ આપવામાં આવી શકે છે.
કારણ કે સોમવારે યોજાયેલી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ નવુ સૂત્ર જાન સાથે જહાનનું પણ વિચારવું પડશે. તેથી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે વધુ છૂટછાટ આપી લોકડાઉનને આગળ વધારી શકાય છે.
આ સાથે જ પીએમ મોદી શ્રમિકોને લઇને પોતાનુ વલણ સ્પષ્ટ કરી શકે છે. સૂત્રોને પાસેથી મળતી જાણકારી મુજબ પીએમ મોદી શ્રમિકોની સ્થિતિને લઇને ખૂબ ચિંતિત છે, તેથી આજના સંબોધનમાં તેઓ તેમના સ્થાન પર રહેવા અપીલ પણ કરી શકે છે.
તે સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાને જાણકારી આપી શકે છે કે લોકડાઉનમાં રાહત હોવા છતાં, બચાવની દરેક પદ્ધતિ અપનાવવી પડશે, કારણ કે કોરોનાથી બચવાનો આ એકમાત્ર રસ્તો છે. પીએમ મોદીનો મત આ વાતને લઇને સ્પષ્ટ છે કે કોરોના ના બચાવમાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. પરંતુ 25 માર્ચથી દેશના લોકો ઘરમાં બંધ છે. એવામાં પીએમ મોદી જનતાની સાથે કોરોનાની સાથે જીવવા અને તેને હરાવાને લઇને અપીલ પણ કરી શકે છે.