બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / coronavirus lockdown people gathering after fake news about hanuman idol in lakhimpur

શ્રદ્ધા / હનુમાનજીની મૂર્તિને વિશે ફેલાઈ એવી અફવા કે ઉડી લૉકડાઉનની ધજ્જિયાં

Last Updated: 11:20 AM, 20 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે. આ સમયે અનેક દેશોમાં લૉકડાઉનના ઉલ્લંઘન થયાના સમાચાર આવતા રહે છે. આ સમયે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં હનુમાનજીની મૂર્તિને વિશે એવી અફવા ફેલાઈ કે લૉકડાઉનના નિયમની ધજ્જિયાં ઊડી ગઈ.

  • ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાનો બનાવ
  • હનુમાન ભક્તો અફવાના કારણે દોડ્યા
  • લૉકડાઉનના નિયમનો કર્યો ભંગ


ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં અફવા ફેલાઈ કે શહેરની વચ્ચે હનુમાનજીનું મંદિર છે ત્યાં અચાનક ભીડ જામી છે અને મંદિરના હનુમાનજીની મૂર્તિની આંખોમાંથી લોહી વહી રહ્યું છે. અફવાના કારણે હનુમાન ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. 

લૉકડાઉનમાં ભક્તો ભૂલ્યા ભાન

કોરોના વાયરસના સંક્રમણને રોકવા લગાવેલા લૉકડાઉનમાં પણ ભક્તોની આટલી ભીડ જોઈને હનુમાનજીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા. સોશ્યલ ડિસ્ટન્સિંગ ભૂલીને લોકો ફોટો અને સેલ્ફી લેવામાં મગ્ન બન્યા.

અનેક દિવસોથી બંધ છે મંદિર

એક ભક્તે કહ્યું કે સૂચના મળી હતી કે ભગવાન લોહીના આંસૂએ રોઈ રહ્યા છે.  ભગવાનના ભક્ત હોવાથી અમે પણ આવ્યા અને જોયું કે શું થયું છે. કારણ કે મંદિર અનેક દિવસોથી ખૂલ્યું જ નહતું. 

પોલીસે કરી કાર્યવાહી

સૂચના મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને ઘરે મોકલ્યા. પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે આ માત્ર અફવા છે. જ્યારે મંદિરની સફાઈ થઈ ત્યારે મૂર્તિમાં ક્યાંક સિંદૂર રહી ગયું હશે અને તે બહાર આવ્યું હશે. લોકોમાં અફવા ફેલાતા લગભગ 300 લોકો એકઠા થયા હતા. દરેકને ઘરે મોકલાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bhakti Coronavirus Dharma Faith Hanumanji Temple lockdown up અફવા આંસુ દર્શન યુપી લૉકડાઉન હનુમાનજી coronavirus
Bhushita
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ