નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે કોરોના રાહત પેકેજની પાંચમી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમા તેઓએ ગામ-ખેડૂત અને મજૂરો પર ભાર મુક્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે આખી દુનિયા હવે રિફોર્મ પર જોર આપી રહી છે. આ દિશામાં આપણે પણ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાં બદલાવનો નિર્ણય લીધો છે.
રવિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે શહેરોથી ગામોની તરફ જઇ રહેલા પ્રવાસી મજૂરોને રોજગારની કમી ન વર્તાય એટલા માટે મનરેગાનું બજેટ 40,000 કરોડ રૂપિયા વધારી દેવામાં આવ્યું છે.
તેઓએ કહ્યું કે મજૂરોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવા માટે 85 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર આપી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે 21 લાખ કરોડ રૂપિયાના મોટા આર્થિક પેકેજનું અલગ-અલગ વિવરણ આપ્યું.