ગુજરાતમાં કોરોના મહામારીને લઇને જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે રાજ્યમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતનમાં મોકલવામાં આવી રહ્યાં છે. હાલ રાજ્યના અલગ-અલગ શહેરોમાં પરપ્રાંતિયો દ્વારા રજિસ્ટ્રેશન બાદ તેઓને પોતાના વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે. આજરોજ સવારે રાજકોટથી 1200 પરપ્રાંતિય શ્રમિકનો લઇને યુપીના બરેલી જવા રવાના થઇ છે, ત્યારે રાજ્યના પંચમહાલના ગોધરાથી કાનપુર જવા તેમજ વડોદરાથી 1200 શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યાં છે.
વડોદરામાંથી વધુ 1200 શ્રમિકોને પોતાના વતન મોકલાયા
ગોધરાથી કાનપુરની શ્રમિકો માટેની વિશેષ ટ્રેન રવાના
ગોધરાથી 1220 શ્રમિકોને પોતાના વતન મોકલાયા
વડોદરામાંથી વધુ 1200 શ્રમિકોને પોતાના વતન મોકલાયા
વડોદરામાંથી વધુ 1200 શ્રમિકોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. મોડી રાત્રે ટ્રેન મારફતે શ્રમિકોને ઉત્તરપ્રદેશ મોકલાયા છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરાના શ્રમિકોને ઉત્તરપ્રદેશમાં મોકલાયા છે. લોકડાઉન હોવાના કારણે છેલ્લા 40 દિવસથી શ્રમિકો ગુજરાતમાં ફસાયા હતા. ત્યારે હવે સરકાર દ્વારા વ્યવસ્થા કરાતા તમામ શ્રમિકોને પરત મોકલાયા છે. આમ અત્યાર સુધીમાં 2400 શ્રમિકોને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યાં છે.
ગોધરાથી કાનપુરની શ્રમિકો માટેની વિશેષ ટ્રેન રવાના
પંચમહાલના ગોધરાથી કાનપુરના શ્રમિકો માટેની વિશેષ ટ્રેન રવાના થઈ છે. ગત મોડીરાત્રે ગોધરાથી કાનપુર જવા ટ્રેન રવાના થઈ. મોડી રાત્રે 24 કોચની ટ્રેનમાં 1220 બિનગુજરાતી શ્રમિકો રવાના થયા છે. આ દરમિયાન કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.