ઉત્તર પ્રદેશ પોલીસે 16 એવા યુવાનોને પકડ્યાછે જે વારાણસીથી સમસ્તીપુર સુધી ચાલતા જઈ રહ્યા હતા. એટલા માટે તેઓ રેલવે ટ્રેકની પેરેલલ ચાલી રહ્યા હતા. યુવાનોને લોકડાઉનને લીધે આમ કરવુ પડ્યું હતું. કેમ કે તેમની પાસે ઘરે જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા નહોતી.
સીએમ યોગીએ રહ્યું કે તે મુસાફરોની વ્યવસ્થા કરશે
સરકારે અનેક રાજ્યોમાં ફસાયેલા લોકોની વ્યવસ્થાની ખાતરી આપી છે.
ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોની સરકાર બિરદાવનીય કામ કરી રહી છે
વિદેશીઓને પાછા મોકલવા 5 વિમાનોની વ્યવસ્થા કરવામાં આવી
કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનથી લોકોની હેરાનગતિ વધી છે. જે લોકો રોજગારી માટે ગામડામાંથી શહેરોમાં આવ્યા હતા. તેમની રોજગારી હાલ બંધ છે. મજૂરી કામ કરી જે લોકો રોજ કમાઈ રોજ જમતા હતા. તેમને ખાવાના ફાંફા પડી રહ્યા હોઈ તેઓ વતન તરફની વાટ પકડી છે. જોકે વાહન વ્યવહારો બંધ હોવાને કારણે તે લોકો ચાલતા એક શહેરમાંથી બીજા શહેર કે ગામ જઈ રહ્યા છે. તો ક્યાંક લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચાલતા જઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ લોકો માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે.
યૂપી સરકારના એક અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનને જોતા યુપીની બોર્ડર પર આવી રહેલા અને અન્ય રાજ્યોમાં ચાલતા જઈ રહેલા મજૂરો તથા કર્મચારીઓ માટે માનવતાના ધોરણે વ્યવસ્થા કરવાનો નિર્દેશ કર્યો છે. તેમણે આદેશ આપ્યો છે. આ તમામ લોકોની ખાણીપીણીનું તથા સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવામાં આવશે.
તીર્થ સ્થાનો પર ફસાયેલાને મદદ કરશે યોગી સરકાર
યૂપી મુખ્યમંત્રીની ઓફિસ તરફથી નિવેદન આવ્યુ હતું કે ઉત્તરાખંડના રહેવાસી તથા બિહાર જનારા તમામ શ્રમિકો અન કર્મકારોનું તેમજ અન્ય નાગરિકોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. તેમને જ્યાં જવાનું હશે ત્યા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે રાજ્યના કોઈ પણ તીર્થ સ્થાનો પર ફસાયેલા તમામ લોકોના ભોજન અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.
પોલીસે તેમને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી
યૂપી પોલીસે વારાણસીથી સમસ્તીપુર સુધી ચાલતા જઈ રહેલા 16 યુવકોને પક્ડયા હતા. તેઓ કેરળના કાલીકટમાં કામ કરે છે. ટ્રેન બંધ થાય તે પહેલા તેઓ કંઈ પણ કરીને ટ્રેનથી ઝાંસી પહોંચી ગયા હતા. તેમણે એક ટ્રકમાં લીફ્ટ પણ લીધી હતી. જોકે પછીથી તેમને સાધન ન મળતા તેઓ ચાલતા જઈ રહ્યા હતા. પોલીસે તેમની વ્યવસ્થા કરી હવે તેમને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.
ઉત્તરાખંડ સરકારની જાહેરાત
લોકડાઉન બાદ મોટી સંખ્યામાં બહારના પર્યટકો ઉત્તરાખંડમાં ફસાઈ ચૂક્યા છે. ત્યારે સરકારે તેમને સલામત તેમના ઘરે મોકલલા માટે છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે પરવાનગી માંગી બસોની વ્યવસ્થા કરી તેમને ઘરે મોકલશે. ઉલ્લેખનીય છે કે અહીં સૌથી વધારે ગુજરાત અને ઉત્તર પ્રદેશના લોકો ફસાયા છે. સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યુ હતું કે સૌથી વધારે પ્રવાસી હરિદ્વાર અને ઋષિકેશમાં ફસાયેલા હોવાની શક્યતા છે. જેમાં રાજસ્થાન, હરિયાણા સહિત ગુજરાત અને યૂપીના લોકો છે.
મહારાષ્ટ્ર સરકારની વ્યવસ્થા પર પંજાબના સીએમએ આભાર માન્યો
કેટલાક લોકો મહારાષ્ટ્રના નાંદેડમાં ફસાયા છે. જે પંજાબથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી નિવેદન આવ્યું છે કે નાંદેડ વહિવટી તંત્ર તમામને બનતી મદદ કરે. ત્યાના ગુરુદ્વારા બોર્ડે તેમના ભોજન તથા અન્ય વ્યવસ્થા કરી આપી છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ વ્યવસ્થા બદલ નાંદેડ તંત્રનો આભાર માન્યો છે.
વિદેશીઓન ઘરે મોકલવામાં આવશે
ગુજરાત દ્વારા પણ રાજસ્થાન ચાલતા જઈ રહેલા લોકોને વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી છે. પંજાબ, મહારાષ્ટ્ર, યૂપી અને રાજસ્થાનના લોકો અનેક રાજ્યોમાં ફસાયા છે. તેમને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા જે તે રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી ન ફક્ત દેશના નાગરિકો માટે કરવામાં આવી રહી છે, બલ્કે વિદેશીઓનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 25-26 માર્ચ સુધી દિલ્હી એરપોર્ટથી 5 વિમાનોમાં ઓસ્ટ્રેલિયા, ઈઝરાઈલ, જર્મની અને ઈટલીમાં કેટલાય લોકોને પોતાના દેશ પહોંચાડવામાં આવશે.