કોરોનાની મહામારીથી વિશ્વમાં લાખો લોકોના મોત થયાં અને ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 300 લોકોના મોત થયા. જો કે એ વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિથી કુદરતના એક અલૌકિક સ્વરૂપને જોવાનો પણ મોકો મળ્યો છે. લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદુષણ ઘટતાં ગુજરાતની મોટી ગણાંતી અને વડોદરાની જીવાદોરી સમાન મહીસાગર નદી શુદ્ધ થઈ ગઈ અને પાણીમાં સદીઓ પુરાની નિર્મળતાં આવી છે.
ઉદ્યોગો બંધ થતાં મહિસાગર નદીનું પાણી નિર્મળ બન્યું
પ્રદુષણ ઘટતાં વાતાવરણમાં પણ કાર્બનનું પ્રમાણ ઘટ્યું, હવા અને પાણી બંને શુદ્ધ થયા
આજેય 50 ટકા વડોદરા મહિસાગર નદીના પાણી પર નભે છે
વડોદરા જિલ્લા અને નજીકની GIDCમાં ચાલતાં ઉદ્યોગો બંધ થતાં પ્રદૂષણનું પ્રમાણ ઝીરો થઈ ગયું છે. લોકડાઉનના કારણે મહિસાગર નદીમાં ઉદ્યોગોના ગંદા પાણી ભળતાં બંધ થઈ ગયા. આથી નદીનું પાણી નિર્મળ બન્યું છે. આ સાથે ધાર્મિક વિધિઓ પણ બંધ થતાં લોકો કોઈ સામગ્રી પધરાવતાં નથી.
વાહનો અને ફેક્ટરીઓના ધુમાડા બંધ થતાં વાતાવરણ પણ થયાં શુદ્ધ
વાહનો અને ફેક્ટરીઓના ધુમાડા બંધ થતાં વાતાવરણ પણ શુદ્ધ થયું. જેથી વાતાવરણમાંથી પાણીમાં ભળતો કાર્બન પણ ઓછો થયો છે. જેથી મહિસાગર નદીનું પાણી ખુબ નિર્મળ થયું છે. નદી કાંઠાના લોકો તેનું ખળખળ વહેતું પાણી જોઈ ફરીથી તેને મહિસાગરના માતા તરીકેની ફિલિંગ આવે છે.
ગામડાઓ માટે મહિસાગર માતા સમાન છે
આખું વડોદરા શહેર અને જિલ્લાના કેટલાય ગામડાઓ માટે મહિસાગર માતા સમાન છે. તેના પાણીથી જ જીવન આજે ચાલે છે. વડોદરાનાં 50 ટકા વિસ્તારોમાં આજેય મહિસાગર નદીનું જ પાણી પીવાય છે.