કેરળમાં કેસ વધતા સરકારે તેને પહોંચી વળવા માટે મેડિકલના વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓની નિમણુક કરીને કોરોનાની સામે ઉપાયોને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. સીએમ પિનરાઈ વિજયને સ્થિતિને ગંભીર ગણાવતા સંક્રમણને રોકવા કડક પગલા ભરવાનું જણાવ્યું છે.
વોર્ડ સ્તરની સમિતીઓને મજબૂક કરવાનો નિર્દેશ
વિજયને અધિકારીઓને હાલની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ કહ્યુ કે વાર્ડ સ્તરની સમિતિઓને મજબૂત કરવાના નિર્દેશ આપી રહ્યા છે તથા વિસ્તારોના મેડિકલ સ્ટુડન્ટ્સને તાત્કાલિક પ્રક્રિયા ટીમમાં સામેલ કરવામાં આવે. તેમણે કહ્યુ કે પીઠાસીન અધિકારીઓની સાથે સાથે વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયેલા તમામ અધિકારીઓને આ સમિતિઓ અને ટીમમાં સામેલ કરવામાં આવે.
પરિસ્થિતિમાં આપણે કડક પ્રતિબંધોની જરુર છે- સીએમ
વિજયને કહ્યુ કે રાજ્ય બહુ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. કોરોનાના ઝડપથી ફેલાઈ રહ્યો છે તમામ આંકડા વધી રહ્યા છે અને તપાસમાં સંક્રમણ દર ઓછો નથી થઈ રહ્યો. આ પરિસ્થિતિમાં આપણે કડક પ્રતિબંધોની જરુર છે. મુખ્યમંત્રી પિનારઈ વિજયને કહ્યુ કે સંક્રમણના વધતા કેસને જોતા હજું કડક પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલાથી લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ છે. સીએમએ કહ્યું કે રાજ્ય સરકારની એજન્સીઓ અને રાજનીતિક દળો ઉપરાંત ખાનગી એજન્સીઓને રાહત કાર્યમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.
કેરળમાં નવા કેસ 41 હજારને પાર
ઉલ્લેખનીય છે કે કેરળમાં એક દિવસમાં 41 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. ત્યારે 58 લોકોના મોત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર બુધવારે કેરળમાં કોરોનાના 41, 953 નવા કેસ સામે આવ્યા છે. સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 17, 43, 932 થઈ છે. 24 કલાકમાં 23, 106 લોકો સજા થયા છે. અત્યાર સુધી અહીં 13. 62 લાખ લોકો સાજા થયા છે.