લોકડાઉને જીવતા લોકોની જીવન શૈલી તો બદલી જ નાંખી છે પરંતુ મૃત્યુ બાદની વિધિઓને પણ અસર પહોંચાડી છે. નિયંત્રણો અને પ્રતિબંધના આ દોરમાં જનજીવન પર તો અસર જોવા મળી રહી છે. પરંતુ સ્વજનોના અસ્થિને પણ લોકડાઉનનું ગ્રહણ નડી રહ્યું છે.
વિસર્જનની રાહ જુએ છે અસ્થિકુંભ
સ્મશાનગૃહમાં અસ્થિકુંભનો ભરાવો
સ્વર્ગસ્થોને પણ નડ્યું લોકડાઉન
હાલ દેશમાં લોકડાઉન પીરિયડ ચાલી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે સરકાર અને વહીવટી તંત્ર એડી ચોટીનું જોર લગાવી કાર્ય કરી રહ્યાં છે. લોકડાઉને જીવતા લોકોની જીવન શૈલી તો બદલી જ નાખી છે પરંતુ મૃત્યુ બાદની વિધિઓને પણ અસર પહોંચાડી છે. નિયંત્રણો અને પ્રતિબંધના આ દોરમાં જનજીવન પર તો અસર જોવા મળી રહી છે. પરંતુ સ્વજનોના અસ્થિને પણ લોક ડાઉનનું ગ્રહણ નડી રહ્યું છે.
જામનગરના સ્મશાનમાં અસ્થીઓનો ભરાવો
જામનગરના આદર્શ સ્મશાન ખાતે છેલ્લા એક મહિનાથી અંતિમ સંસ્કાર કરવામાં આવેલ સ્વજનોના અસ્થીઓનો ભરાવો થઇ ગયો છે. લોક ડાઉનના કારણે જે તે મૃતકના પરિવારજનો અસ્થીનું વિસર્જન કરી શક્યા નથી. આથી સ્મશાન ગૃહમાં પહેલા કદી જોવા નહોતા મળ્યા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમકે સ્મશાન ગૃહમાં આ રીતે એક સામટા અસ્થિકુંભનો ભરાવો આ પહેલા કદીએ થતો ન હતો. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો કાયદો લાગી ગયો છે..ત્યારે અનેક મુહૂર્ત વીતવા છતાં અનેક લોકો તેમના સ્વજનોના અસ્થિઓ વિસર્જિત કરી શક્યા નથી.
અસ્થિ વિસર્જન કરવા તંત્રને વિનંતી કરી રહ્યા છે પરિજનો
પોતાના સદગત પરિજનોના અસ્થી વિસર્જિત થવાની વિધિમાં વિલંબ થતાં અનેક સ્વજનો લાચાર બન્યા છે. સ્મશાન સંચાલકોએ તો પોતાની ફરજ અદા કરી અસ્થિકુભની દેખરેખ અને સાચવવાની વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ જો વહીવટી તંત્ર સદગતના પરિવારજનોએ આ અસ્થીકુંભનું વિસર્જન કરવાની છૂટ આપે તો, સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે પાલન કરીને પરિજનો અસ્થિ વિસર્જન કરવા તંત્રને વિનંતી કરી રહ્યા છે.
ગયા મહિના સુધી કોઈને ક્યાં ખબર હતી કે સ્વજનના અસ્થીકુભના વિસર્જન માટે પણ મુશ્કેલી ઉભી થશે ? પરંતુ વૈશ્વિક મહામારીને રોકવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ આચારસહિતાની અમલવારી પણ દરેક નાગરિકની ફરજ છે. આ મહામારી સામેના નિયમોનું પાલન કરવું એ પણ આપણી જ ફરજ છે. લોકડાઉન ખતમ થાય ત્યાં સુધી રાહ જોવી એ પણ મૃતક સ્વજનોનું સન્માન જ છે ને.