ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી આ ઘાતક વાયરસથી જોડાયેલ 562 કેસ સામે આવી ચૂક્યા છે અને 11 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોનાના ખતરાથી લડવા માટે પીએમ મોદીએ ગઇકાલથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કરી દીધું છે અને ત્યારબાદથી સમગ્ર દેશમાં લૉકડાઉન છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો છે.
PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીને સંબોધન કર્યુ
લૉકડાઉનનું પાલન કરવા બદલ તમારો આભારઃ પીએમ
કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયત્નઃ પીએમ
કોરોના વાયરસથી જંગનું એલાન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી. પીએમ મોદીએ મહામારી કોરોના વાયરસ પર વાત કરતા કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું, કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયત્ન છે.
વારાણસીના લોકો સાથે સંવાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તમે જાણો છો, નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માં શૈલપુત્રી સ્નેહ, કરૂણા અને મમતાનું સ્વરૂપ છે. તેને પ્રકૃતિની દેવી પણ કહેવામાં આવે છે. આજે દેશ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે, તેમાં આપણે તમામે માં શૈલપુત્રીના આશીર્વાદની બહુ આવશ્યક્તા છે.
પીએમ મોદીએ કહ્યું કે, મને ખ્યાલ છે કે આપ સૌના બહુ સારા પ્રશ્નો હશે, કેટલીક ચિંતાઓ પણ હશે અને સલાહ પણ હશે. કાશીના લોકોના પ્રશ્નો અંગે પીએમ મોદીએ વાત કરી. જુઓ વીડિયો.
આજે કાબુલમાં ગુરૂદ્વારમાં થયેલ આતંકવાદી હુમલાથી મન ઘણું દુઃખી છે. હું આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
પીએમએ કહ્યું- કાશી દેશને શું શિખવી શકે છે
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાશીનો અનુભવ શાશ્વત, સનાતન, સમયાતીત છે અને એટલા માટે આજે લૉકડાઉનની પરિસ્થિતિમાં કાશી દેશને શિખવી શકે છે- સંયમ, સમન્વય, સંવેદનશીલતા. કાશી દેશને શિખવી શકે છે- સહયોગ, શાંતિ, સહનશીલતા. કાશી દેશને શિખવી શકે છે- સાધના, સેવા, સમાધાન.
કાશીનો અર્થ જ છે- શિવઃ PM
કાશીનું મહત્વ જણાવતા પીએમએ કહ્યું કે, કાશીનો અર્થ જ છે- શિવ. શિવ એટલે કલ્યાણ. શિવની નગરીમાં, મહાકાલ-મહાદેવની નગરીમાં સંકટથી લડવાના સૌને માર્ગ બતાવવાનું સામર્થય છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોના વાયરસના ખતરાને જોતા લોકોને ઘરોમાં રહેવા કહ્યું. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના બીમારીને જોતા દેશભરમાં મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામને આ સમયે ઘરોમાં રહેવું ખુબ જ જરૂરી છે. આજ આ બીમારીથી બચવાનો યોગ્ય વિકલ્પ છે.
હેલ્પલાઇન નંબર 9013151515
પીએમ મોદીએ આ દરમિયાન હેલ્પલાઇન નંબરની પણ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, કોરોનાથી જોડાયેલ સાચી અને સચોટ જાણકારી માટે સરકારના WhatsAppની સાથે મળીને હેલ્પડેસ્ક પણ બનાવ્યું છે. પીએમએ કહ્યું કે જો તમારી પાસે WhatsAppની સુવિધા છે તો તમે આ નંબર 9013151515 પર નમસ્તે લખીને મોકલશો તો તમને યોગ્ય જવાબ મળવાનું શરૂ થઇ જશે.
પીએમએ કહ્યું કે કોરોનાથી સંક્રમિત દુનિયામાં 1 લાખથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનામાંથી બહાર આવી ચૂક્યા છે.
21 દિવસ કોરોના વિરૂદ્ધ યુદ્ધ લડવાનું છેઃ પીએમ
પીએમએ કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે. આજે કોરોના વિરૂદ્ધ જે યુદ્ધ સમગ્ર દેશ લડી રહ્યો છે, તેમાં 21 દિવસ લાગવાના છે. આપણો પ્રયાસ છે આ 21 દિવસમાં જીતી લેવામાં આવે.
કાશી સૌનું માર્ગદર્શન કરી શકે છેઃ પીએમ
PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીને સંબોધન કર્યુ, કહ્યું લોકડાઉનનું પાલન કરવા બદલ તમારો આભાર. PM મોદીએ વારાણસીને સંબોધન કરતા કહ્યું, સંકટની આ ઘડીમાં કાશીની જનતા લોકડાઉનના સમયમાં લોકો માટે ઉદાહરણ પૂરું પાડી શકે છે. સંકટના આ સમયમાં, કાશી સૌનું માર્ગદર્શન કરી શકે છે, સૌ માટે ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે.
હું વારાણસી વિશે સતત અપડેટ લેતો રહું છુંઃ પીએમ
પીએમ મોદીએ કહ્યું કે, તમારો સાંસદ હોવાના નાતે મને તેવા સમયે તમારી વચ્ચે હોવું જોઇતું હતું. પરંતુ અહીં દિલ્હીમાં જે ગતિવિધિઓ થઇ રહી છે, તેનાથી પણ તમે પરિચિત છો. અહીંની વ્યસ્તતા છતા હું વારાણસી વિશે સતત મારા મિત્રોથી અપડેટ લેતો રહું છું.