દુનિયાભરમાં મહામારીનો હાહાકર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના વધતા કેસોનો લઇને સરકાર વારંવાર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે. ગુજરાતમાં લોકડાઉન હોવા છતાં પણ લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે રોડ પર જોવા મળી રહ્યાં છે. ત્યારે પશ્ચિવ રેલવે દ્વારા 9 સ્થળ માટે સ્પેશિયલ પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે.
કડાઉનના સમયે જીવન જરૂરિયાત વસ્તુઓ માટે દોડાવાશે ટ્રેન
પશ્ચિમ રેલવે 9 સ્થળ માટે સ્પેશિયલ પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેન દોડવશે
વસ્તુઓની હેર-ફેર માટે સ્પેનશિયલ કાર્ગો ટ્રેન દોડાવવાનો નિર્ણય
લોકડાઉનના સમયે લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ કાર્ગો ટ્રેન દોડાવાશે. પશ્ચિમ રેલવે દ્વારા 9 સ્થળ માટે સ્પેશિય પાર્સલ ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેનમાં વસ્તુઓની હેર-ફેર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા આ સ્પેશિયલ કાર્ગો ટ્રેનમાં મેડિકલ સેવાઓ, શાકભાજી વગેરેનો પુરવઠો નિયત કરેલા સ્થળે પહોંચાડાશે. જેમાં સુરત, વલસાડ, નવસારીમાં માલવહન માટેની તક મળી શકે છે.
સુરત, વલસાડ અને નવસારી આ ત્રણેય ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે માલવહનની તક મળી શકે છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર DRM દ્વારા ફલેટ ટ્રેન ચલાવવા માટે વેપારીઓનો દ્વારા સંપર્ક કરાયો છે. જો કે આ અંગે ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.