મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં, વહીવટીતંત્રએ સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન હોળીના બીજા દિવસે એટલે કે 30 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થયો વધારો
ઔરંગાબાદ જિલ્લામાં 30 એપ્રીલથી લાદવામાં આવ્યો કર્ફ્યુ
રાજ્ય સરકારે લીધો નિર્ણય
જો કે, આ દરમિયાન આવશ્યક સેવાઓ કાર્યરત રહેશે. આ ઉપરાંત આજથી સમગ્ર મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવનાર છે. સાથે જ સરકારે રાજ્યના લોકોને અપીલ કરી છે કે તેઓ હોળી અને અન્ય તહેવારો સરળ રીતે ઉજવે.
ઔરંગાબાદ જિલ્લામાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન
કોરોના વાયરસના પ્રકોપથી પ્રભાવિત મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. વિશેષ વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં 1700 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. આ અગાઉ રાજ્ય સરકારે કોવિડ -19 પ્રતિબંધો 15 એપ્રિલ સુધીમાં વધારવાનો નિર્ણય લીધો છે. નાગપુર, ઔરંગાબાદ સહિતના ઘણા જિલ્લાઓમાં કોરોના વાયરસના વધતા જતા કેસોનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યુ
મહારાષ્ટ્રમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યુ લાગુ થશે. આ સમય દરમિયાન, મોલ, બગીચા, બીચ, સિનેમા હોલ જેવા તમામ જાહેર સ્થળો સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. આજે રાતે રાજ્યમાં તમામ પ્રકારની ઉજવણી પર મધ્યરાત્રિથી પ્રતિબંધ મુકવામાં આવશે. તે જ સમયે, આ નિયમોનું ઉલ્લંઘન કરનારને પકડવામાં આવશે તે વ્યક્તિ દીઠ 1000 રૂપિયાના દંડ પર દંડ કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં પણ વિવિધ જગ્યાએ રવિવારે ટોટલ લોકડાઉન
એમપીના ભોપાલ, ઈંદોર, ગ્વાલિયક, જબલપુર, રતલામ, ખરગોન, છિંદવાડા, બૈતુસ, વિદિશા, ઉજ્જેન, સૌસર, નરસિંહપુરમમાં દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે.મધ્યપ્રદેશમાં કોરોનાના ગ્રાફને લઈને ફરી એકવાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. શનિવારે ભોપાલ જિલ્લા પ્રશાસને શહેરના અનેક સ્થાનને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. તેમાંથી 20 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાતા અહીં રહેતા લોકો હોમ ક્વોરન્ટાઈન રહેશે. શનિવારે ભોપાલમાં 460 નવા કેસ આવ્યા છે.
દેશમાં કોરોના 62 હજારથી પણ નવા કેસ
ભારતમાં કોરોનાનો પ્રભાવ સતત વધઈ રહ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના 62 હજાર 632 નવા કેસ આવ્યા છે. તો એક દિવસમાં કોરોનાથી 28 હજાર 728 દર્દી રિકવર થયા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી 328ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 83 હજાર 11 પહોંચી ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 19 લાખ 71 હજાર 4 સુધી પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 13 લાખ 21 હજાર 578 થઈ છે તો ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 61 હજાર 586 થયો છે.