રાજ્યભરમાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ અને રાજકોટમાં લોકો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના તમામ એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
રાજ્યભરમાં લાગૂ કરાયું છે લોકડાઉન
અમદાવાદમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
વૈષ્ણોદેવી સર્કલથી બહાર નિકળતો માર્ગ કરાયો બંધ
અમદાવાદમાં આવવા માટેના તમામ એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ દ્વારા શહેરમાં આવતા લોકોને અટકાવવામાં આવી રહ્યાં છે. જો કે એન્ટ્રી પોઇન્ટની વાત કરીએ તો એસ.જી. હાઇવેના વૈષ્ણોદેવી સર્કલ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આમ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગાંધીનગર તરફ જતા રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ કામ વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવાથી લોકો બહાર રસ્તા પર ફરી શકતા નથી. ત્યારે હવે અમદાવાદમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના એન્ટ્રી, એક્ઝિટ ગેટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર તરફ જતા રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે કામ વગર બહાર નિકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોઈને પણ અમદાવાદ શહેરમાંથી બહાર જવા દેવામાં આવતા નથી.