દેશમાં કોવિડ 19 મહામારીનો ફેલાવો ઓછો થાય તેના માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરેક પોતાના ઘરોમાં છે. દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃત્તિક આયોજન ટાળવામાં આવી રહ્યા છે. પરંતુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ લૉકડાઉન તોડતા પોતાના પુત્રના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. જોકે હવે આ લગ્નને કારણે તેઓને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
એચડી કુમારસ્વામીના પુત્રના બેંગલુરુમાં લગ્ન
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, તમામ નિયમોનું પાલન કરાયું છે
લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની સલાહ કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરકાર સુધી કરી રહી છે. પરંતુ કુમારસ્વામીના પુત્રના લગ્નએ વિવાદ ઉભો કર્યો છે. ત્યારે કુમાર સ્વામીએ ટ્વિટ કરીને સ્પષ્ટતા રજૂ કરી છે.
તેઓેએ કહ્યું કે મારા પુત્ર અને રેવતીએ સાદગીપૂર્વક લગ્ન કરી લીધા છે. હવે અમે લાખો લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. અમે આ લગ્ન દરમિયાન તમામ દિશાનિર્દેશોનું પાલન કર્યું. લાખો લોકોએ અમને ઘરેથી આશીર્વાદ આપ્યા. આ સંકટમાંથી આપણે બહાર આવીશું અને સાથે ખાઇશું. અમે આપના પ્રેમ માટે આભારી છીએ.
ನನ್ನ ಪುತ್ರ ನಿಖಿಲ್ ಮತ್ತು ರೇವತಿ ಅವರ ವಿವಾಹ ಇಂದು ಅತ್ಯಂತ ಸರಳ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಯಲು ಸಹಕರಿಸಿದ ಲಕ್ಷಾಂತರ ಕಾರ್ಯಕರ್ತರು ಮತ್ತು ಕುಟುಂಬದ ಹಿತೈಷಿಗಳಿಗೆ ಹೃದಯಾಂತರಾಳದ ಕೃತಜ್ಞತೆಗಳು.
1/4
નોંધનીય છે કે શુક્રવારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના દિકરા નિખિલ કુમારસ્વામીના લગ્ન યોજાયા. એચડી કુમારસ્વામીના દિકરા નિખિલના કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચુકેલા કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે લગ્ન કર્યા છે. બેંગલુરુ રામનગરના એક ફામ હાઉસમાં શાહી લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. લગ્ન સ્થળે લગભગ 30-40 ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે પરિવાર તરફથી કેટલીક ગાડીઓના રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા હતા. ફક્ત તે જ ગાડીઓને કાર્યક્રમમાં આવવાની પરવાનગી આપવામાં આવી હતી.
બેંગલુરુના રામનગરમાં શાહી રીતે નિખિલના લગ્ન થયા. લૉકડાઉન વચ્ચે લગ્ન યોજાયા બાદ પ્રશ્ન ઉભા થયા કે શું સરકારે જ આ કાર્યક્રમની પરવાનગી આપી હતી. લગ્નને લઈને અનેક સવાલો ઉભા થયા. એક તરફ સમગ્ર દેશમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ લગ્નમાં વીવીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી.
#WATCH Karnataka: Nikhil Kumarswamy, son of former Karnataka CM HD Kumaraswamy, tied the knot with Revathi, the grand-niece of former Congress Minister for Housing M Krishnappa, today in Ramnagar. (Video source: anonymous wedding guest) pic.twitter.com/5DH9fjNshQ
ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે કેન્દ્રએ જે ગાઈડલાઈન જાહેર કરી છે. તે મુજબ આ કોઈ મોટા કાર્યક્રમના આયોજનની મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે જ્યારે એચડી કુમાર સ્વામીએ આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે લગ્નને લઈને તમામ પરવાનગી તેમની પાસે છે. તેમજ ડૉક્ટરો પાસેથી પણ અનેક પ્રકારની સલાહ લેવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી આ લગ્નમાં ફક્ત 70થી 100 લોકોની હાજરીની પરવાનગી આપવામાં આવી હતી. સાથે રાજ્ય સરકાર તરફથી લગ્નની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. જેનાથી એ બાબત પર નજર રાખી શકાય કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યુ છે કે નહીં.